Gujarat Election 2022: પાલ આંબલિયાને ટિકિટ ન મળતાં કાર્યકરોમાં રોષ, સોશિયલ મીડિયામાં ઠાલવ્યો બળાપો

Gujarat Election 2022: પાલ આંબલીયાને ટિકિટ ન મળતા કોંગ્રેસના કિસાન સેલમાં નારાજગી ચાલી રહી છે. કોંગ્રેસના કિસાન સેલના આગેવાનોએ સોશિયલ મીડિયામાં બળાપો વ્યક્ત કર્યો હતો.

Gujarat Election 2022: પાલ આંબલિયાને ટિકિટ ન મળતાં કાર્યકરોમાં રોષ, સોશિયલ મીડિયામાં ઠાલવ્યો બળાપો

Gujarat Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં આંતરિક વિખવાદો શરૂ થયા છે. ટિકિટ ન મળતાં વિરોધ અને ટિકિટ અપાતા વિરોધ એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. ત્યારે દ્વારકામાં દાવેદાર પાલ આંબલિયાને કોંગ્રેસે ટિકિટ ન આપતા કોંગ્રેસના કિશાન સેલના કાર્યકરોમાં રોષ છે. 

પાલ આંબલીયાને ટિકિટ ન મળતા કોંગ્રેસના કિસાન સેલમાં નારાજગી ચાલી રહી છે. કોંગ્રેસના કિસાન સેલના આગેવાનોએ સોશિયલ મીડિયામાં બળાપો વ્યક્ત કર્યો હતો. પાલ આંબલીયાને ટિકિટ મળવી જોઈએ તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. દ્વારકા બેઠક પરથી કોંગ્રેસમાંથી પાલ આંબલીયાએ દાવેદારી નોંધાવી હતી. દ્વારકાથી કોંગ્રેસે મુળુ કંડોરિયાને ટિકિટ આપી છે.

કિસાન કોંગ્રેસના પ્રવક્તા અતુલ કામાણીએ ZEE 24 કલાક સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કિસાન કોંગ્રેસે 8 ટિકિટની માગ કરી હતી, પરંતુ એક પણ અપાઈ નહોતી. પાલ આંબલિયા અપક્ષથી લડશે તો અમે તેમની સાથે છીએ. ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. 

મહત્વનું છે કે, દ્વારકામાં દાવેદાર પાલ આંબલિયાને કોંગ્રેસે ટિકિટ ન આપતા કોંગ્રેસના કિશાન સેલના કાર્યકરોમાં રોષ છે. ત્યારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તેઓ રોષ ઠાલવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news