પ્રેમિકાના પતિની હત્યા કરી પોલીસને પણ ગુમરાહ કરી, 6 મહીના પછી દારૂનાં નશામાં ભાંગરો વાટ્યો અને...

ચીખલી તાલુકાના બામણવાડા ગામના માજી ડેપ્યુટી સરપંચની હત્યાનો ભેદ નવસારી એલસીબી પોલીસે છ માસ બાદ ઉકેલી નાંખતા માજી ડેપ્યુટી સરપંચની હત્યા ફડવેલ ગામે રહેતી એક પરિણીત મહિલા સાથેના પ્રેમસંબંધમાં થઈ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે પરિણીત મહિલા તેના પતિ તેમજ અન્ય બે યુવાનો સહિત ચાર શખ્સોની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. ચીખલી તાલુકાના બામણવાડા ગામે પટેલ ફળિયામાં રહેતા નિલેશ છના ઢોડીયા પટેલ(ઉ.વ.૩૬) ને છેલ્લા કેટલાક સમયથી ચીખલી તાલુકાના ફડવેલ ગામે રહેતા ચિન્મય રમેશ ઢોડીયા પટેલ સાથે મિત્રતા બંધાતા આ મિત્રતા બાદ ચિન્મય પટેલની પત્ની ધર્મિષ્ઠા સાથે નિલેશ પટેલની આંખો મળી ગઇ હતી. 
પ્રેમિકાના પતિની હત્યા કરી પોલીસને પણ ગુમરાહ કરી, 6 મહીના પછી દારૂનાં નશામાં ભાંગરો વાટ્યો અને...

નવસારી : ચીખલી તાલુકાના બામણવાડા ગામના માજી ડેપ્યુટી સરપંચની હત્યાનો ભેદ નવસારી એલસીબી પોલીસે છ માસ બાદ ઉકેલી નાંખતા માજી ડેપ્યુટી સરપંચની હત્યા ફડવેલ ગામે રહેતી એક પરિણીત મહિલા સાથેના પ્રેમસંબંધમાં થઈ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે પરિણીત મહિલા તેના પતિ તેમજ અન્ય બે યુવાનો સહિત ચાર શખ્સોની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. ચીખલી તાલુકાના બામણવાડા ગામે પટેલ ફળિયામાં રહેતા નિલેશ છના ઢોડીયા પટેલ(ઉ.વ.૩૬) ને છેલ્લા કેટલાક સમયથી ચીખલી તાલુકાના ફડવેલ ગામે રહેતા ચિન્મય રમેશ ઢોડીયા પટેલ સાથે મિત્રતા બંધાતા આ મિત્રતા બાદ ચિન્મય પટેલની પત્ની ધર્મિષ્ઠા સાથે નિલેશ પટેલની આંખો મળી ગઇ હતી. 

છેવટે વાત પ્રેમ સંબંધો સુધી પહોચી જતા તેમજ નિલેશ પટેલ અને ચિન્મય પટેલ વચ્ચે નાંણાકીય લેવડ દેવડ પણ વધી જતા છેવટે ધર્મિષ્ઠા અને નિલેશ પટેલના પ્રેમસંબંધની વાતો ધર્મિષ્ઠાના પતિ ચિન્મય પટેલ સુધી પહોચી હતી. ચિન્મયે પત્ની ધર્મિષ્ઠાને તું નિલેશ સાથે પ્રેમ સંબંધ રાખવાની હોય તો એની સાથે જ જતી રહે અને મારી સાથે રહેવુ હોય તો હું કહુ તેમ કરવુ પડશે નહી તો તને મારી નાંખીશ તેમ ધમકી આપી હતી. જેથી ધર્મિષ્ઠાએ ચિન્મય સાથે જ રહેવાનુ પસંદ કરતા આ બંન્નેએ નિલેશને મારી નાંખવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. બનાવી ચિન્મયના બે મિત્રોને બોલાવી તેમની સાથે મિટીંગ કરી તેમને લગ્નમાં મદદરૂપ થવા માટે જણાવી તેમને વિશ્વાસમાં લીધા બાદ ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઈન્ડિયા સીરીયલ જોઈને પ્રેમી નિલેશ પટેલને મારી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો.

પતિ ચિન્મય અને પત્ની ધર્મિષ્ઠાએ પ્લાન મુજબ નિલેશ પટેલની સાદકપોર ગામની હદમાં બ્રહ્મદેવ મંદિર પાસે ૨ જી માર્ચના પોતાના સાગરીતો સાથે મળીને લોખંડના પાઈપ અને લાકડાના હાથા વડે માથામાં મારમારી પ્રેમી નિલેશને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. રાત્રીના સમયે જ લાશને શેરડીના ખેતરમાં ચારેય હત્યારાઓએ નાંખીને ભાગી ગયા હતા. જે હત્યાના છ મહિના બાદ પણ ભેદ ખુલયો ન હતો. જોકે હત્યારા ચિન્મય પટેલે દારૂના નશામાં કેટલાક લોકોને પોતે જ હત્યા કરી હોવાનુ જણાવતા સમગ્ર ઘટનાનો ભેદ ખુલી ગયો હતો. હાલ પોલીસે તમામ આરોપીને ઝડપી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news