મંત્રીજીનો પિત્તો ગયો! કહ્યું; 'આપણે બંગડી નથી પહેરી, વિરોધીઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીશ'

મંત્રી કુંવરજી હળપતિએ ગુસ્સા સાથે નિવેદન આપ્યું હતું. ઘટનામાં સામેલ લોકોને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીશ, તેમજ આવા સરપંચને બરતરફ કરી ઘર ભેગો કરવાનો છું. કોંગ્રેસ, આપ, કે બી.ટી.પીને સાખી લેવાના નથી.

મંત્રીજીનો પિત્તો ગયો! કહ્યું; 'આપણે બંગડી નથી પહેરી, વિરોધીઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીશ'

સંદીપ વસાવા/માંડવી: ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીની મોસમ ખીલવાની છે. ત્યારે અત્યારથી નેતાઓની નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. મંત્રી કુંવરજી હળપતિ ફરીવાર ગુસ્સામાં જોવા મળ્યા છે. મંત્રી કુંવરજી હળપતિએ જાહેર મંચ પરથી વિરોધીઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાનું નિવેદન આપ્યું છે. માંડવી ખાતે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત દરમ્યાન આ નિવેદન આપ્યું છે.

ફરીવાર મંત્રી કુંવરજી હળપતિ ગુસ્સે ભરાયા હતાં. માંડવી ખાતે આર.એન્ડ બી દ્વારા અદ્યતન સર્કિટ હાઉસના લોકાર્પણ દરમિયાન ગુસ્સે જોવા મળ્યા હતા. થોડા દિવસ અગાઉ માંડવી ઘંટોલી ગામે કળશ યાત્રા નીકળી હતી. જે દરમ્યાન ત્યાં વીજ ટ્રાન્સફર બળી જવાની ઘટના સામે આવી હતી. આ ઘટના કોંગ્રેસ સમર્થીત સરપંચે અંજામ આપ્યો હોવાનો આરોપ કરાયા હતા. 

ત્યારે ઘટનાને વખોડતાં કાર્યક્રમમાં મંત્રી કુંવરજી હળપતિએ ગુસ્સા સાથે નિવેદન આપ્યું હતું. ઘટનામાં સામેલ લોકોને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીશ, તેમજ આવા સરપંચને બરતરફ કરી ઘર ભેગો કરવાનો છું. કોંગ્રેસ, આપ, કે બી.ટી.પીને સાખી લેવાના નથી, કોઈનાથી ડરવાનું નથી. આપણે બંગડી પહેરી નથી. કાર્યકરો તમે આગળ વધો તેમ જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news