મહેસાણામાં કિરીટ પટેલ આપઘાત કેસમાં મોટો વળાંક : ગુજરાત સરકાર સુધી રેલો આવે તેવી સ્થિતિ

Mehsana Kirit Patel Suicide Case : અર્બન બેંકના ડિરેકટર કિરીટ પટેલનો આપઘાતનો મુદ્દો હવે નવો વળાંક લઈ રહ્યો છે. કિરીટ પટેલે લખેલ 18 પાનાની સ્યુસાઇડ નોટ સામે આવી છે

મહેસાણામાં કિરીટ પટેલ આપઘાત કેસમાં મોટો વળાંક : ગુજરાત સરકાર સુધી રેલો આવે તેવી સ્થિતિ

Mehsana News તેજસ દવે/મહેસાણા : મહેસાણાના 84 સમાજના પૂર્વ પ્રમુખ અને અર્બન બેંકના ડિરેક્ટર કિરીટ પટેલ આપઘાતનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે કિરીટ પટેલના આપઘાત અંગે મોટો ખુલાસો થયો છે. કિરીટ પટેલની 18 પાનાની સ્યુસાઈડ નોટ સામે આવી છે. બેચરાજી વિધાનસભાની ટિકિટમાં ઠગાઈનો ભોગ બન્યાનો ઉલ્લેખ તેમાં કરાયો છે. સાથે જ 2.40 કરોડની ઠગાઈ થતા આપઘાત કર્યાનો ખુલાસો પણ તેમાં કરાયો છે. 5 શખ્સોની ટોળકીએ ઠગાઈ કરી હોવાનો ઉલ્લેખ સ્યૂસાઈડ નોટમાં કરાયો છે. આપઘાત પહેલા કિરીટ પટેલ દ્વારા એક સ્યૂસાઇડ નોટ લખવામાં આવી હતી. તેના આધારે 2 કરોડ 40 લાખની છેતરપીંડીના કારણે આપઘાત કર્યું હોવાનું બહાર આવ્યું છે. કિરીટભાઈના પરિવારના હાથમાં કંઈક એવા પુરાવા આવ્યા છે કે જેનાથી એનો રેલો છેક રાજ્ય સરકાર સુધી પહોંચે તેવો આક્ષેપ કિરીટભાઈના ભાઈ નરેન્દ્રભાઈએ કર્યો હતો. 

કિરીટ પટેલને મળનાર કેન્દ્રીય મંત્રી કોણ 
અર્બન બેંકના ડિરેકટર કિરીટ પટેલનો આપઘાતનો મુદ્દો હવે નવો વળાંક લઈ રહ્યો છે. કિરીટ પટેલે લખેલ 18 પાનાની સ્યુસાઇડ નોટ સામે આવી છે. 18 પાનાની સ્યુસાઈડ નોટ મુદ્દે કિરીટ પટેલના ભાઈ નરેન્દ્ર પટેલે જણાવ્યું કે, આત્મહત્યાના દિવસે મળેલ નોટ ઉપરાંત બીજી નોટ મળી આવી છે. બેચરાજી વિધાનસભાની ટિકિટમાં ઠગાઇનો ભોગ બન્યા હોવાનો ઉલ્લેખ તેમાં કરાયો છે. કિરીટભાઈ 2.40 કરોડની ઠગાઈનો ભોગ બનતા આપઘાત કર્યો હતો. આરોપી 5 શખ્શોની ટોળકીએ ઠગાઈ કરી છે. વિધાનસસભાની ચૂંટણી પૂર્વે કિરીટ પટેલને કેન્દ્રીય મંત્રીને મળાવ્યા હોવાનો કિરીટ પટેલના ભાઈએ સ્યૂસાઈડ નોટ થકી દાવો કર્યો છે. સાથે જ આ મુલાકાતના ફોટો પણ ઉપલબ્ધ હોવાની વિગત છે. તેમજ દિલ્હી મુલાકાતોની તારીખ સહિત વિગતોનો નોટમાં ઉલ્લેખ કરાયો છે. 

વિધાનસભા ટિકિટની હતી લાલચ
નરેન્દ્રભાઈએ કહ્યું કે, કિરીટ પટેલને વિધાનસભાની ટિકિટ આપવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા હતા. આ પેટે કિરીટ પટેલે એડવાન્સ ચેક પણ લીધા હતા. ચેક પરત ફરતા કિરીટ પટેલે કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કર્યો હતો. આત્મહત્યાના 14 કલાક પૂર્વે જ કોર્ટમાં મુદત હતી. મુદતના દિવસે 5 પૈકી 3 આરોપીને કિરીટ પટેલ રૂબરૂ મળ્યા હતા. મુદત બાદ કિરીટ પટેલે ઘરે આવી આપઘાત કર્યો હતો. બહુચરાજી વિધાનસભાની ભાજપની ટિકિટ લેવા માટે પૈસા આપ્યા હતા. 

અલગ અલગ રાજ્યોમાં તપાસ માટે ટીમ દોડાવાઈ
ઉલ્લેખનીય છે કે, આ કેસની તપાસ સાબરકાંઠા ડીવાયએસપીને સોંપાઈ છે. આ કેસના આરોપીઓને પકડવા પોલીસ દ્વારા ત્રણ રાજ્યોમાં તપાસ ચાલુ કરાઈ છે. આ કેસમાં 5 આરોપી અલગ અલગ રાજ્યના છે. તેથી પેરોલ ટીમ દ્વારા ઇન્દોર, એલસીબી ટીમ દ્વારા દિલ્હીમાં, તેમજ એસઓજી ટીમ દ્વારા અમદાવાદમાં તપાસ તેજ કરાઈ છે. 

કિરીટ પટેલના ભાઈનો આરોપ
કિરીટભાઈના ભાઈ નરેન્દ્ર પટેલ સાથે વાત કરતા તેમને જણાવ્યું કે, કિરીટભાઈ લાંબા સમયથી રણેલા સ્થિત કોલેજમાં રહેતા અને તેમનો પરિવાર મહેસાણા રહેતો હતો. કિરીટભાઈના અંતિમ સંસ્કાર બાદ જ્યારે પરિવાર રણેલા સ્થિત તેમના રૂમ અને લોકરમાં તપાસ કરતા કેટલાક એવા સ્પોટક પુરાવા તેમને મળ્યા છે અને આ આપઘાતનો રેલો સરકાર સુધી પહોંચે એમ છે. જેના કારણે મારા ભાઈનો માનવવધ થયો છે અને જ્યારે જ્યાં આ પુરાવા આપવાની જરૂર પડશે ત્યાં અમે આ પુરાવા રજુ કરીશું અને તેમને યોગ્ય ન્યાય મળે તેવી અપીલ કરી હતી. કિરીટભાઈએ 2.40 કરોડ રૂપિયા ફસાઈ જતા આપઘાત કર્યો હોવાનો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે અને એ 5 શખ્સોના નામ લખી કિરીટ પટેલે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. જેમાં ઇન્દોરના નિલેશ ત્રિવેદી, દિલ્હીના હરીશ ગુપ્તા, અમદાવાદના અભિષેક શુકલા, કૃપાબેન શુક્લા અને અમીબેન જોશીના નામનો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

પોલીસની ભૂમિકા શંકાજનક
કિરીટભાઈએ પોતાની પાસે થયેલ છેતરપીંડી મામલે બેચરાજી પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાઠોડ અને મહેસાણા SP અચલ ત્યાગીને  રજુઆત કરી હતી. પરંતુ મહેસાણા SP અચલ ત્યાગી દ્વારા યોગ્ય તપાસ ના કરી, એફઆરઆઈ ના નોંધી અને નાણાંથી ફૂટી ગયા હોવાનું સ્પષ્ટ છે તેવો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. આ સમગ્ર ઘટના મામલે પોલીસે ફરિયાદ પણ મોડી દાખલ કરી હોવાનો નરેન્દ્રભાઈ આક્ષેપ કર્યો છે. 1 જુલાઈના સવારે 7 વાગ્યાનો બનાવ બન્યો હોવા છતાં પોલીસ દ્વારા રાતના 9 વાગ્યા સુધી ફરિયાદ દાખલ ના કારવામાં આવી હોવાનું મૃતકના ભાઈ નરેન્દ્રભાઈએ આક્ષેપ કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news