જન્માષ્ટમીએ જૂનાગઢની સરકારી તિજોરી છલકાઈ, પ્રવાસીઓએ કરાવી કરોડોની આવક

જન્માષ્ટમીની રજાઓમાં ગુજરાતભરના લોકો જાણે ઘરની બહાર નીકળી પડ્યા હોય તેમ પ્રવાસન સ્થળો પર ભીડ જોવા મળી હતી. જન્માષ્ટમી (janmastami) એ આવેલા મિની વેકેશનમાં લાંબા સમય બાદ પ્રવાસન સ્થળો પર માનવ મહેરામણ ઉમટ્યુ હતું. આવામાં સરકારી તિજોરી પણ છલકાઈ ગઈ છે. જન્માષ્ટમીમાં જુનાગઢ (Junagadh) જિલ્લાને સૌથી વધુ પ્રવાસીઓ મળ્યા હતા. સાતમ-આઠમના તહેવાર પર 2.60 કરોડની આવક થઈ છે. જેથી કહી શકાય કે જન્માષ્ટમીનો તહેવાર જૂનાગઢને ફળ્યો છે. 
જન્માષ્ટમીએ જૂનાગઢની સરકારી તિજોરી છલકાઈ, પ્રવાસીઓએ કરાવી કરોડોની આવક

સાગર ઠાકર/જન્માષ્ટમી :જન્માષ્ટમીની રજાઓમાં ગુજરાતભરના લોકો જાણે ઘરની બહાર નીકળી પડ્યા હોય તેમ પ્રવાસન સ્થળો પર ભીડ જોવા મળી હતી. જન્માષ્ટમી (janmastami) એ આવેલા મિની વેકેશનમાં લાંબા સમય બાદ પ્રવાસન સ્થળો પર માનવ મહેરામણ ઉમટ્યુ હતું. આવામાં સરકારી તિજોરી પણ છલકાઈ ગઈ છે. જન્માષ્ટમીમાં જુનાગઢ (Junagadh) જિલ્લાને સૌથી વધુ પ્રવાસીઓ મળ્યા હતા. સાતમ-આઠમના તહેવાર પર 2.60 કરોડની આવક થઈ છે. જેથી કહી શકાય કે જન્માષ્ટમીનો તહેવાર જૂનાગઢને ફળ્યો છે. 

જન્માષ્ટમીનો તહેવાર જૂનાગઢના રોપ-વે, સક્કરબાગ ઝૂ, STને ફળ્યો છે. સાતમ-આઠમના તહેવારમાં જૂનાગઢમાં 2.60 કરોડની આવક થઈ છે. 4 દિવસના મિની વેકેશનમાં 25 હજાર લોકોએ રોપ-વેની સફર કરી છે. તો 55 હજાર પ્રવાસીઓ (gujarat tourism) એ સક્કરબાગ ઝૂની મુલાકાત લીધી છે. 2.35 લાખ લોકોએ ST બસની મુસાફરી કરી છે. આ 4 દિવસમાં જૂનાગઢમાં ST ડિવિઝનને 1.33 કરોડની આવક થઈ છે. તો સક્કરબાગ ઝૂને 17 લાખની આવક થઈ છે. જેથી સમજી શકાય છે કે, જન્માષ્ટમીના તહેવારોમાં જૂનાગઢના પ્રવાસન સ્થળોની ડિમાન્ડ કેવી રહી હશે. 

રોપ-વે શરૂ થયા બાદ પ્રથમ વખત શિતળા સાતમના દિવસના એક જ દિવસમાં 7,700 લોકોએ રોપ-વેની સફર માણી હતી. આ ઓલ ટાઇમ હાલએસ્ટ ટ્રાફિક રહ્યો હતો. પ્રવાસીઓની સંખ્યા વધુ હોવાથી રોપ-વેની ગતિ પણ વધારી દેવાઈ હતી. જેથી પ્રવાસીઓની ડિમાન્ડને પહોંચી વળાય. ભીડ વધુ હોવાથી ઓનલાઈન બુકિંગમાં પણ ચાર કલાકનું વેઈટિંગ રહ્યું હતું. 

સક્કરબાગ ઝૂમાં ભીડ

  • સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રજાના 2 દિવસમાં કુલ 20,802 પ્રવાસી થકી ઝૂને 6,39,000ની આવક થઇ હતી. જ્યારે ટિકીટ લેવા માટે 4 બારી ખોલવા છતા ભારે ભીડના કારણે ટિકીટ લેવામાં પણ 1 કલાકનું વેઇટીંગ રહ્યું હતું.
  • શનિવારે રાંધણછઠ્ઠના દિવસે 4,562 પ્રવાસી આવ્યા હતા જેનાથી 1,47,000ની આવક થઇ
  • શિતળા સાતમના દિવસે ઝૂમાં 16,240 પ્રવાસી આવ્યા હતા જેનાથી 4,92,000ની આવક થઇ 

તો બીજી તરફ, જૂનાગઢમાં ભીડ ઉમટી પડવાથી ગેસ્ટ હાઉસ પણ ફૂલ રહ્યા હતા, જેથી તેમની આવક પણ વધી હતી. આ સાથે જ ભવનાથમાં આવેલ જ્ઞાતિની વાડીઓ, ઉતારા પણ હાઉસફૂલ રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news