એક એવી મર્ડર મિસ્ટ્રી જે જાણી સૌ કોઈ ચોંક્યા! પત્નીએ દીકરીઓ સાથે મળી પતિની હત્યા કરી અને પછી...

સુરત જિલ્લામાં છાશવારે હત્યાના બનાવો સામે આવી રહ્યા, અને તેના કારણો પણ ચોંકાવનારા સામે આવતા હોય છે. ત્યારે સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે.

એક એવી મર્ડર મિસ્ટ્રી જે જાણી સૌ કોઈ ચોંક્યા! પત્નીએ દીકરીઓ સાથે મળી પતિની હત્યા કરી અને પછી...

સંદીપ વસાવા/માંગરોળ: ઓરિસ્સા ટ્રેન અકસ્માતની આડમાં પત્નિનીએ પતિની હત્યા ખપાવી એક એવી મર્ડર મિસ્ટ્રિ જે જાણી સૌ કોઈ ચોકી ગયા છે. માંગરોળના પીપોદરા ગામે પત્નીએ બે દીકરીઓની મદદ લઈ પતિને મોતને ઘાટ ઉતારી દીધો. ત્યારબાદ મૃતદેહને કોથળામાં ભળી ખુલ્લી જગ્યામાં કચરાના ઢગલામાં ફેંકી દીધો અને હત્યા છુપાવવા પોતાના શેતાની દિમાગથી સૌને અચંબિત કર્યા હતા.

સુરત જિલ્લામાં છાશવારે હત્યાના બનાવો સામે આવી રહ્યા, અને તેના કારણો પણ ચોંકાવનારા સામે આવતા હોય છે. ત્યારે સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના પીપોદરા ગામે આવેલ ઉમંગ રેસીડેન્સીમાં રહેતા અને લુમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા નરેશ તુષ્ટિ નાયક (ઉ.50) નાઓનો મૃતદેહ ગત રાત્રીના રોજ ઘર નજીક આવેલ ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિકના કોથળામાંથી મળી આવ્યો હતો. મૃતક નરેશ તુષ્ટિ નાયકના મૃતદેહનો પોલીસે કબજો લઈ તપાસ કરતા તેઓનું મોત ચાર - પાંચ દિવસ અગાઉ થયું હોવાનું જાણવા મળ્યું હતું. અને તેઓની હત્યા થઈ હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

પોલીસે આજુબાજુમાં રહેતા લોકોના નિવેદનો લઈ તપાસ હાથ ધરતા મૃતક નરેશ તુષ્ટિ નાયકના પાડોશી મોહમ્મદ યાકુબ ઉર્ફે મુના મહોમદ હદિશ સાંઈ નાઓએ જણાવ્યું હતું કે મૃતક નરેશ તુષ્ટિ નાયક જેઓ મૂળ ઓરિસ્સા રાજ્યના કંદમાંલ જિલ્લાના છે. તેઓ પોતાની પત્ની સવિતા અને તેની બે છોકરી સોનિયા થતા પીનલ સાથે રહેતા હતા,ગત બે તારીખ મૃતક નરેશ તુષ્ટિ નાયકનો તેમના મિત્ર પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તે વતન જવાનો છે. રેલવે ટીકીટ કઢાવી લીધી છે. જોકે બીજા દિવસ સવારે મૃતક નરેશ તુષ્ટિ નાયકની પત્ની સવિતા થતા તેની બે દીકરીઓ રૂમના દરવાજા પાસે બેસી રડતા હતા. 

મૃતકના મિત્રએ તેઓને કારણ પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે વતનમાં સસરા ગુજરી ગયા છે. અને તેમના પતિ નરેશ વહેલી સવારે વતનમાં જવા નીકળી ગયા છે. તેઓએ પુત્રી સાથે પણ વતનમાં જવું પડશે એટલે રેલવે ટીકીટ કઢાવિ દેજો અને તેઓ વતન જવા રવાના થયા હતા. જોકે ગત 5ના રોજ મૃતક નરેશ તુષ્ટિ નાયક પરિવારજન અનિલ પ્રતાપ નામનો યુવક આવ્યો અને તેઓએ જણાવ્યું હતું કે તેમના કાકી સવિતાએ વતનમાં જણાવ્યું છે કે ઓરિસ્સા રેલવે અકસ્માતમાં ગુજરી ગયા છે. તેઓની વાત સંભાળી પાડોશી પણ ચોકી ગયો હતો અને મૃતક નરેશનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. અને આજ બાબતે સૌ કોઈને શંકા પત્ની અને તેમની પુત્રીઓએ સામે ગઈ હતી. જેથી તેઓએ પોલીસને જાણ કરી હતી. 

પડોશીએ મૃતક નરેશને પત્ની સવિતાએ એ બે દીકરીઓની મદદગારીથી મૂઢ માર મારી અથવા ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું જણાવ્યું હતું. કોસંબા પોલીસ મથકના પીઆઇ એચ.બી.ગોહિલ અને PSI જે.કે મૂળિયા નાઓએ FSL ટીમને સ્થળ પર બોલાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને હત્યારી પત્ની સુધી પહોંચી વળવા બાતમીદારોને કામે લગાડ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news