Holi Special : હોળીએ કેસૂડો કેમ કહેવાય છે ગુણકારી, આયુર્વેદથી જાણો તેના અસલી ગુણ

આપણે ત્યાં હોળીના પર્વનું આગવું મહત્વ છે. પણ શું તમે જાણો છેકે, કેસુડાના ફુલોની હોળીએ સૌથી જુની હોળી માનવામાં આવી છે. આદિકાળથી કેસુડાના ફૂલોથી હોળી રમાતી આવી છે. કેસુડાના ફૂલોની હોળી રમવાનું ખાસ કારણ એ પણ છેકે, એનાથી સ્નાન કરવાથી ગરમીથી રાહત મળે છે અને ચામડીના રોગો દૂર થાય છે

Holi Special : હોળીએ કેસૂડો કેમ કહેવાય છે ગુણકારી, આયુર્વેદથી જાણો તેના અસલી ગુણ

ઝી મીડિયા/બ્યૂરો :કોઈ નાજુક નમણી, નાર નવેલી લે છે ઓવારણાં...આવ્યો આ કેસરભીનો કેસુડો...હોળી-ધૂળેટી એટલેકે, રંગોનો પર્વ આવ્યો છે. ત્યારે રંગોનો પર્વ આવે અને કેસુડાની યાદ ન આવે તેવું તો કઈ રીતે બને. ફાગણમાં સોળે કળાએ ખીલેલો મનમોહક કેસૂડો હોળીમાં આપે છે પ્રાકૃતિક રંગ. કેસુડો આયુર્વેદની દ્રષ્ટિએ ગુણકારી છે. તેનો હોળી-ધૂળેટીમાં રંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તે કેસૂડા ફૂલોને પાણીમાં નાખીને સ્નાન કરવાથી ચામડીના રોગો પણ મટી જાય છે. કેસૂડાનું પાણી પણ ઉત્તમકારી છે, જે ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે. ત્યારે હાલ ગુજરાતમાં નવસારી જિલ્લામાં ઠેર-ઠેર કેસૂડો લહેરાતો જોવા મળી રહ્યો છે. જેને કારણે નવસારી જિલ્લો હાલ કોઈ નવોઢાની માફક સજી-ધજીને શણગાર કરી રહ્યો હોય એવો લાગી રહ્યો છે. 

ચલો કેસુડાથી રમીએ હોળી
હોળી-ધૂળેટી આવી...ચાલો ખેલીએ શીતળ મધુરા કેસૂડાના રંગથી ખેલીએ રંગોત્સવ...આપણા આદિવાસી સમાજના પૂર્વજોએ દરેક વનસ્પતિના ઔષધિય ઉપયોગને જાણીને તેને ધર્મ સાથે વણી લીધા હતા. જેથી સમાજમાં દરેકનું આરોગ્ય સારૂ રહે.

કેસૂડાની કળીએ બેસી ફાગણીયો લહેરાય રૂડો ફાગણીયો લહેરાય...
આજના મોબાઈલ યુગની પેઢીને કેસૂડાના વૃક્ષ વિશે પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઈને ખબર હશે. શહેરોમાં લગભગ કેસૂડો જોવા મળતો નથી. ફાગણ મહિનો આવતાં જ કેસૂડો સોળે કળાએ ખીલવા લાગ્યો છે. ત્યારે આ કેસૂડો સોળેકળાએ ખીલતા આદિવાસી સમાજના લોકો હોળીની તૈયારીમાં લાગી જાય છે. સાથે જ આ કેસૂડો શરીર માટે પણ ઉપયોગી હોવાનુ જાણવા મળ્યુ છે.

કેસૂડાની કળીએ બેસી ફાગણીયો લહેરાય રૂડો ફાગણીયો લહેરાય...

વસંત ઋતુમાં કેસરીયો કેસૂડો ખીલે ઉઠે છે
કવિઓએ જેને પોતાની કવિતામાં ઢાળી છે અને ફાગણમાં જ્યારે પાનખરની ઋતુ જામી હોય ત્યારે બધા વૃક્ષો પરથી પાંદડા ખરી પડે છે, ત્યારે કેસૂડો સોળે કળાએ ખીલી ઊઠે છે. રંગોનો તહેવાર હોળી નજીક આવી રહ્યો છે, આ સાથે કેસૂડો પણ ખીલી ઉઠ્યો છે. ત્યારે આદિવાસી પંથકમાં ઠેક-ઠેકાણે ખીલેલા કેસૂડાના વૃક્ષને જોવાનો લાહવો પણ અનેરો છે. શિયાળાની વિદાય સાથે પાનખર ઋતુ બાદ આવતી વસંત ઋતુમાં કેસરીયો કેસૂડો ખીલી ઉઠે છે.

કેસુડા વગર અધુરી ધૂળેટી 
કેસુડાના રંગબેરંગી ફૂલો વગર ધૂળેટી અધૂરી છે. આદિકાળથી પ્રાકૃતિક રંગો સાથે હોળીની ઉજવણી થતી આવી છે. આ પરંપરાને આજે પણ અંતરિયાળ ગામોમાં રહેતા આદિવાસી લોકો નિભાવી રહ્યા છે.

ઔષધી તરીકે પણ કેસુડો છે અકસીર

ઉનાળાની ગરમીમાં કેસુડો તમને રાખશે Cool
ફાગણ એ હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત વિક્રમ સંવતનો પાંચમો અને શક સંવતનો બારમો મહિનો છે. આ મહિનામાં ખાખરાના વૃક્ષ પર ફૂલો બેસે છે, જેને કેસૂડો તરીકે ઓળખવામાં આવે છે. જો કે હવે કેમિકલ રંગોના સમયમાં કુદરતી વનસ્પતિ રંગોથી કોઇ ધુળેટી રમતુ તો નથી, છતાં પણ ડાંગ-વાંસદાના આદિવાસીઓને હોળી ધુળેટીમાં કેસૂડાની યાદ અવશ્ય આવે જ છે. ફાગણ મહિનાના આગમન ટાણે કેસૂડાના ફુલ ખિલતા હોય છે. ઉનાળાના ત્રણ મહિનાની ગરમીથી રક્ષણ માટે કેસૂડો ખુબ ઉપયોગી છે. કેસૂડાના ફુલને સુકવીને આખી રાત પલાળી રાખ્યા બાદ તેનો પાવડર પાણી સાથે ભેળવી છાંટવાથી ત્વચાનું આરોગ્ય બળબળતા તાપમાં પણ જળવાઈ રહે તેવા ઔષધિય ગુણો તેમાં રહેલા છે. ઉનાળામાં થતાં ચામડીના રોગો પણ તેના પરિણામે દુર રહે છે.              

ઔષધી તરીકે પણ કેસુડો છે અકસીર
ઔષધીય રીતે કેસુડાના ફૂલો ગુણકારી હોવાના સંશોધનો પણ થઇ ચૂક્યા છે. ત્યારે આધુનિક યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારના લોકો ધૂળેટી તો કેસુડાના ફૂલોથી જ રમે છે. કેસૂડાના ફૂલો ઉનાળાના દિવસોમાં તો જંગલ વિસ્તારોની શોભા વધારે છે. પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ ગુણકારી ગણાતા કેસૂડાના ફૂલો પર ઘણા આયુર્વેદિક સંશોધનો પણ થઈ ચૂક્યા છે. જેમાં ચર્મરોગ, અતિસાર તથા નાના બાળકોને ઉનાળાના દિવસોમાં સુકા કેસૂડાના ફૂલોથી સ્નાન કરાવવાથી લુ, શરદી અને તાવ જેવા રોગો સામે રક્ષણ પુરૂ પાડે છે.જેથી કેસૂડો શરીર માટે પણ ગુણકારી હોવાનુ જાણવા મળ્યુ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news