જો એ દિવસે કુતરા સામે સસલું ના લડ્યું હોત તો...આજે અમદાવાદ ના હોત! શું તમે જાણો છો આ કહાની?

અસલમાં અહમદશાહ બાદ શાહે એક સસલાને કુતરા સાથે લડતા જોયો. સામાન્ય રીતે સસલું ડરપોક હોય અને કુતરું તેને ફાડીને ખાઈ જાય. પણ અહીં સસલું ડરવાને બદલે કુતરા પર હુમલો કરી રહ્યું હતું તેની સામે પ્રતિકાર કરી રહ્યું હતું. જાણો પછી શું થયું...

જો એ દિવસે કુતરા સામે સસલું ના લડ્યું હોત તો...આજે અમદાવાદ ના હોત! શું તમે જાણો છો આ કહાની?

ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદ શહેર... અને આ શહેરની સાથો-સાથ તેનો ઈતિહાસ પણ નિરાળો છે. તેના નામ સાથે જુદી-જુદી દંતકથાઓ જોડાયેલી છે. આશરે સન્ 1000-1100 દરમિયાન સિદ્ધરાજ જયસિંહના પિતા અને ભીમદેવ સોલંકી ના પુત્ર કર્ણદેવે સાબરમતીના તીરે 'આશાવલ' શહેર વસાવ્યું હતું. સન 1030ની અલ્બેરુની કિતાબ ઉલ-હિન્દમાં આશાવલ્લી શહેરનો ઉલ્લેખ છે. સન 1074 માં કર્ણદેવે આશાવલ્લી કે આશાવલ જીતી પોતાના નામ પરથી કર્ણાવતી નગરી વસાવી. જોકે ત્યાર બાદ કઈ રીતે કર્ણાવતીમાંથી અહમદાબાદ બન્યુ એ કહાની સાથે એક દંતકથા પણ જોડાયેલી છે. 

"જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા"
એવું કહેવાય છેકે, એક સમયે જ્યારે અહમદશાહ બાદશાહ સાબરમતી નદી પાસેની આ શહેરની ધરતી પરથી પસાર થઈ રહ્યાં હતા, ત્યારે તેમણે એક દ્રશ્ય જોયું અને જોઈને ચોંકી ગયા અને બસ ત્યાર બાદ તેઓ તેઓએ અહીં જ વસી જવાનું નક્કી કર્યું. તમને થશે કે, એવું તો શું જોયું હશે. અમદાવાદ વિશે કહેવાય છેકે, જબ કુત્તે પર સસ્સા આયા તબ બાદશાહ ને શહેર બસાયા,,, અસલમાં અહમદશાહ બાદ શાહે એક સસલાને કુતરા સાથે લડતા જોયો. સામાન્ય રીતે સસલું ડરપોક હોય અને કુતરું તેને ફાડીને ખાઈ જાય. પણ અહીં સસલું ડરવાને બદલે કુતરા પર હુમલો કરી રહ્યું હતું તેની સામે પ્રતિકાર કરી રહ્યું હતું. 

સસલાએ જે રીતે જે હોંશલાથી કુતરાનો પ્રતિકાર કર્યો તો કુતરું પણ ત્યાંથી ભાગી ગયું. આ દ્રશ્ય જોઈને બાદશાહને લાગ્યું કે, આ ધરતીમાં જ કંઈક વિશેષ શક્તિ છે તેના કારણે જ સસલું કુતરાની સામે લડવાની તાકાત ધરાવે છે. બસ, એ દ્રશ્ય જોઈને જ બાદશાહે આ ધરતી પર શહેર વસાવવાનું નક્કી કર્યું. ત્યારથી એ કહેવાત પણ પ્રચલિત બની ગઈ કે, "જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા". બસ આ રીતે બાદશાહ પોતે જ અહીં વસી ગયા અને તેમણે પોતાના નામ અહેમદશાહ પરથી અહેમદાબાદ નામ આપ્યું. જે બાદમાં અપભંશ થઈને અમદાવાદ થઈ ગયું. 

ઉલ્લેખનીય છેકે, સન્ 1411 માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમિયાન ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. અમદાવાદની સ્થાપના વિશે એક દંતકથા એમ પણ છે કે જ્યારે સુલતાન અહમદશાહ આ વિસ્તારની લટાર મારવા નીકળ્યા ત્યારે આ વિસ્તારમાં ફરતા સસલાએ સુલતાનના શિકારી કુતરાથી ડરવાને બદલે તેનો સામનો કર્યો. સસલાની આ બહાદુરી જોઈને સુલતાને વિચાર કર્યો કે જે વિસ્તારના સસલા આટલા બહાદુર છે ત્યાંના માણસો કેવા હશે અને સુલતાને અહીં પોતાનું પાટનગર સ્થાપ્યુ. 

અમદાવાદ નામ કઈ રીતે પડ્યું?
કુતરા સામે લડતા સસલા અને તેની બહાદૂરીના કાયલ થઈને અહમદ શાહે સાબરમતી નદીના કિનારે પોતાના નામ પર એક શહેર વસાવ્યું. જેનું નામ આપ્યું અહમદાબાદ. પછી આ શહેરનું નામ 'અહમદાબાદ' તરીકે જાણીતું થયું. સમય જતાં તે અપભ્રંશ થઇને 'અમદાવાદ' તરીકે ઓળખાવા લાગ્યું. સન 1411ની 26મી ફેબ્રુઆરીએ અહમદશાહ બાદશાહે હાલના એલીસબ્રીજ પાસે માણેક બુરાજની ખાંભી લગાવીને સાબરમતીના તટે અમદાવાદ શહેરનો પાયો નાંખ્યીઓ અને નગર વસાવ્યું.


 

 


 


 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news