ગુજરાતના ઈતિહાસમાં ઐતિહાસિક વહીવટી પહેલ, હવે વિકાસના કામોને બુલેટ ગતિ મળશે, જાણો કેમ

Gujarat Government: ગુજરાતના ઈતિહાસમાં રાજ્ય સરકારે વિકાસકામો માટે ઐતિહાસિક વહીવટી પહેલ કરી છે. વિધાનસભામાં વર્ષ 2024-25નું બજેટ પસાર થતા માર્ચ માસમાં જ તમામ વહીવટી મંજૂરીઓ આપવાની પ્રક્રિયા હાથ ધરાતા રાજ્યમાં વિકાસના કામોને નવી ગતિ મળશે. પ્રવક્તા મંત્રી પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ગત વર્ષ 2023-24નું બજેટનું કદ રૂ. 3.01 લાખ કરોડ હતું . જે વર્ષ 2024-25માં વધીને રૂ.3.32 લાખ કરોડ થયું છે. ગત વર્ષે તા.24 ફેબ્રુઆરી 2023ના રોજ જ્યારે આ વર્ષે તા.02 ફેબ્રુઆરી 2024ના રોજ નાણા મંત્રી કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કર્યું હતું. 

ગુજરાતના ઈતિહાસમાં ઐતિહાસિક વહીવટી પહેલ, હવે વિકાસના કામોને બુલેટ ગતિ મળશે, જાણો કેમ

ઝી બ્યુરો/ગાંધીનગર: ‘વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વમાં ગુજરાતના ઈતિહાસમાં રાજ્ય સરકારે વિકાસકામો માટે  ઐતિહાસિક વહીવટી પહેલ કરી છે. વિધાનસભામાં વર્ષ 2024-25નું બજેટ પસાર થતા માર્ચ માસમાં જ તમામ વહીવટી મંજૂરીઓ આપવાની પ્રક્રિયા હાથ ધરાતા રાજ્યમાં વિકાસના કામોને નવી ગતિ મળશે.

પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષ 2023-24નું બજેટનું કદ રૂ. 3.01 લાખ કરોડ હતું . જે વર્ષ 2024-25માં વધીને રૂ. 3.32 લાખ કરોડ થયું છે. ગત વર્ષે તા. 24 ફેબ્રુઆરી 2023ના રોજ જ્યારે આ વર્ષે તા. ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કર્યું હતું. સામાન્ય રીતે દર વર્ષે માર્ચ મહિનામાં બજેટ સત્ર પૂર્ણ થવાથી વહીવટી મંજૂરીની પ્રક્રિયા એપ્રિલ-મે માસમાં પૂર્ણ થતી હોય છે. જેના બદલે આ વર્ષે માર્ચ માસમાં જ તમામ વહીવટી મંજૂરીઓ આપવાની પ્રક્રિયા પૂર્ણ થવાની હોઇ વિકાસના કામોને નવીન ગતિ મળી છે. વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં વહીવટી મંજૂરી માટે રજૂ થયેલ કુલ ૨૫૦૬ ચાલુ બાબત પૈકી ૨૨૧૯ એટલે કે ૮૮.૫૪% ચાલુ બાબતોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જે ઐતિહાસિક વહીવટી પહેલ છે.  

તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં વહીવટી મંજૂરી માટે રજૂ થયેલ કુલ ૯૬૦ નવી બાબત પૈકી ૬૪૩ એટલે કે ૬૬.૯૭% નવી બાબતોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે તથા બાકી બાબતોની વહીવટી મંજૂરીની પ્રક્રિયા પણ વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે. આગામી વર્ષ ૨૦૨૪-૨૫ની ગ્રાન્ટ પણ તા. ૦૧ એપ્રિલ ૨૦૨૪ના રોજ રીલીઝ કરી દેવામાં આવશે. જેથી વિકાસ કામોને વધુ વેગ મળશે. આથી તમામ વિભાગો નાણાંકીય વર્ષના પ્રથમ દિવસથી જ ખર્ચ કરવા સક્ષમ બનશે. જેને પરિણામે નાણાકીય વ્યવસ્થાપન વધુ સુચારુ રૂપે થઇ શકશે તથા જનહીતના કાર્યો/યોજનાઓ સમયસર શરૂ કરી શકાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news