ક્રિકેટ પ્રેમીઓ માટે હવામાન વિભાગની મોટી આગાહી : વર્લ્ડકપની ફાઈનલમાં વરસાદ આવશે કે નહિ?

ind vs aus world cup final : હવામાન વિભાગે જણાવ્યું કે, મેચના દિવસે રવિવારે અમદાવાદમાં સ્વચ્છ વાતાવરણ રહેશે. સાંજે 18 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે 

ક્રિકેટ પ્રેમીઓ માટે હવામાન વિભાગની મોટી આગાહી : વર્લ્ડકપની ફાઈનલમાં વરસાદ આવશે કે નહિ?

Gujarat Weather Forecast : અમદાવાદમાં 19 નવેમ્બરે ICC વિશ્વકપનો ફાઈનલ મુકાબલો યોજાવાનો છે. ફાઈનલ પહેલા અમદાવાદમાં ક્રિકેટ રસીકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ ક્યાંક આ ઉત્સાહ ફિક્કો ન પડી જાય તેવું વાતાવરણ ગુજરાતમાં બંધાયું છે. ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે વાદળછાયું વાતાવરણ થઈ આવ્યું છે. ત્યારે સૌને ટેન્શન એ છે કે, શું વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં વરસાદ આવશે કે નહિ. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ માટે હવામાન વિભાગની મોટી આગાહી આવી ગઈ છે. વર્લ્ડકપની ફાઈનલ મેચ સમયે અમદાવાદમાં વાતાવરણ કેવું રહેશે તે વિશે હવામાન વિભાગ શું કહે છે તે જાણીએ. 

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આવતીકાલે શનિવારે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દિવાળી બાદ તાપમાન ઘટતા ઠંડી વધી છે. અમદાવાદમાં ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે. સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. બે દિવસ બાદ તાપમાન 1 ડિગ્રી વધી શકે છે. મેચ દરમિયાન રવિવારે બપોરે 33 અને 34 ડિગ્રી તાપમાન રહેશે. જ્યારે સાંજે 18 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. 

હવામાન વિભાગે જણાવ્યું કે, મેચના દિવસે રવિવારે અમદાવાદમાં સ્વચ્છ વાતાવરણ રહેશે. સાંજે 18 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. 

આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. બે દિવસ બાદ રાજ્યવાસીઓને ઠંડીનો અનુભવ થઈ શકે છે. બે દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રી કરતા વધુ ઘટાડો આવી શકે છે. જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ વરસાદને લઈને કોઈ શકયતા નથી. કેટલાક સ્થળો પર વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. હવામાન વિભાગના ડાયેરક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, દિવસ અને રાત્રી દરમિયાન તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. બે ડિગ્રી જેટલું તાપમાન અપ એન્ડ ડાઉન રહી શકે છે. દિવસ દરમિયાન 35 ડિગ્રી આસપાસ અને રાત્રે 20 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. ડિસેમ્બર અંતમાં ઠંડીનો ખરો ચમકારો અનુભવ થશે. હાલ કોઈ સિસ્ટમ ગુજરાતને લઈને સક્રિય નથી. માત્ર લોકલ એક્ટિવિટીના કારણે છેલ્લા બે દિવસમાં રાજ્યમાં કેટલાક સ્થળો પર વરસાદી માહોલ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news