ગુજરાત સરકારના મહત્વના 4 નિર્ણય, લોકડાઉનમાં રાજ્ય બહાર અટવાયેલા ગુજરાતીઓની કરાશે મદદ

કોરોના વાયરસ (Corona virus) ને પગલે લોકડાઉનની સ્થિતિમાં રાજ્ય સરકાર જતાના જનાર્દનની પડખે ઉભી છે. ત્યારે નાગરિકોની સુવિધામાં સરળતા રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા વધુ ચાર જેટલા મહત્વના નિર્ણયો કર્યા છે. 

ગુજરાત સરકારના મહત્વના 4 નિર્ણય, લોકડાઉનમાં રાજ્ય બહાર અટવાયેલા ગુજરાતીઓની કરાશે મદદ

હિતલ પારેખ/ગાંધીનગર :કોરોના વાયરસ (Corona virus) ને પગલે લોકડાઉનની સ્થિતિમાં રાજ્ય સરકાર જતાના જનાર્દનની પડખે ઉભી છે. ત્યારે નાગરિકોની સુવિધામાં સરળતા રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા વધુ ચાર જેટલા મહત્વના નિર્ણયો કર્યા છે. 

  • સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી એક મહિના માટે ઓફ લાઇન પદ્ધતિએ રાશન-અનાજ અપાશે 
  • અન્ય રાજ્યોમાં લોકડાઉનની સ્થિતીમાં સ્થગિત થઇ ગયેલા ગુજરાતી યાત્રિકો મુસાફરો માટે જે તે રાજ્યમાં આવાસ-ભોજન વ્યવસ્થામાં રાજ્ય સરકાર સહાય સંકલન કરશે. હેલ્પલાઇન ૧૦૭૦નો સંપર્ક સાધવાથી મદદ-વ્યવસ્થા કરાશે.
  • અન્ય રાજ્યોના ગુજરાતમાં વસતા શ્રમિકો-કામદારોના રહેવા-જમવાની વ્યવસ્થા માટે જિલ્લા તંત્રની ૧૦૭૭ હેલ્પલાઇન કાર્યરત-સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી જિલ્લાતંત્ર મદદરૂપ થશે.
  • બિયારણ-ખાતર અને પેસ્ટીસાઇઝડ આવશ્યક ચીજવસ્તુઓ તરીકે જાહેર કરાઇ-જરૂરિયાત પ્રમાણે વિતરણ થઇ શકશે

આનંદો... છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો એકપણ નવો કેસ નથી  

મુખ્યમંત્રીએ કોર કમિટીની બેઠકમાં ગઇ મોડી સાંજે લીધેલા નિર્ણયો વિશએ સચિવ અશ્વિનીકુમારે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં આ લોકડાઉનની સ્થિતિમાં એપ્રિલ માસમાં અંત્યોદય અને ગરીબ પરિવારોને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ વિતરણ વિનામૂલ્યે કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ અગાઉ કર્યો છે. હવે એક માસ પૂરતી આવી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઓફલાઇન પદ્ધતિએ પણ રાશન ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવાના ઉદાત્ત ભાવથી એપ્રિલ-ર૦ર૦ના માસ માટે રાશન મેળવવા લાભાર્થી માટેની બાયોમેટ્રિકસ પદ્ધતિનો અમલ કરાશે નહિ.

પુંસરીમાં લોકડાઉન વચ્ચે યોજાયું ડિજીટલ બેસણુ, લોકોએ Online શ્રદ્ધાંજલિ આપી

લોકડાઉનની સ્થિતિમાં ગુજરાતના જે યાત્રિકો કે મુસાફર પરિવારો અન્ય રાજ્યોમાં સ્થગિત થઇ ગયા છે. તેમને ત્યાં કોઇ અગવડ રહેવા-જમવાની ના પડે તેવી વ્યવસ્થા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. અન્ય રાજ્યોમાં ફસાઇ ગયેલા પરિવારો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર ૧૦૭૦ પર સંપર્ક સાધી શકશે. આવા યાત્રિકો-મુસાફરોની તેઓ જે રાજ્યમાં હાલ સ્થગિત થઇ ગયેલા છે, તે રાજ્યના સંબંધિત સ્થળે ત્યાંના જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાતી સમાજના સહયોગથી ભોજન-આવાસ-નિવાસ વ્યવસાઓનું સંકલન ગુજરાત સરકાર કરશે.

રાજકોટના તબીબે સમાજ સામે વ્યથા ઠાલવી, કોરોનામાં મેડિકલ સ્ટાફને શંકાની નજરે ન જુઓ

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસતા અન્ય રાજ્યોના કામદારો-શ્રમિકોને પણ પ્રવર્તમાન લોકડાઉન સ્થિતિમાં રહેવા-ખાવાની વ્યવસ્થાઓમાં કોઇ અગવડ ન પડે તે માટે રાજ્યના જિલ્લા વિહવટીતંત્રોને પણ સાબદા કર્યા છે. આવા શ્રમિકો-કામદારોને રહેવા-જમવાની યોગ્ય વ્યવસ્થાઓ માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમની હેલ્પલાઇન 1077 કાર્યરત કરવામાં આવી છે. આ હેલ્પલાઇન પર સંપર્ક સાધવાથી સંબંધિત જિલ્લા વહિવટીતંત્ર સ્થાનિક સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી આવા શ્રમિકો-કામદારો માટે ભોજન-આવાસ સુવિધા ગોઠવશે. 

અશ્વિનીકુમારે વિગતો આપતાં ઉમેર્યુ કે, જીવન આવશ્યક ચીજવસ્તુઓ, શાકભાજી વગેરેનો પુરવઠો લોકોને સરળતાએ તેમના ઘર-સોસાયટી-શેરી-મહોલ્લા નજીક મળી રહે તે માટે ૨૮૫૦૦ જેટલા પાસ ફેરિયા, લારીધારકો, વેપારીઓને ઇસ્યુ કરવામાં આવ્યા છે. આવા પાસ સ્થાનિક જરૂરિયાતના આધારે મામલતદાર કક્ષાએથી આપવામાં આવે છે. હાલની સ્થિતીમાં બિયારણ, ખાતર અને પાક જંતુનાશક-પેસ્ટીસાઇઝડસનો આવશ્યક ચીજવસ્તુઓમાં સમાવેશ કરીને તે પણ ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે મળી રહે તે સુનિશ્વિચત કરવામાં આવ્યું છે. 

વડોદરામાં તંત્રનો મોટો નિર્ણય, 14 ના બદલે 28 દિવસ હોમ કવોરન્ટાઈનમાં રહેવુ પડશે

તેમણે જણાવ્યું કે, શુક્રવારે સવારે સમગ્ર રાજ્યમાં 51.30 લાખ લીટર દૂધનું વિતરણ થયું છે. ૮પ હજાર ૧૩૩ કવીન્ટલ શાકભાજી અને ૪૮૩ર કવીન્ટલ ફળફળાદીનો આવરો થયો છે. જેમાં ર૩૧૮૮ કવીન્ટલ બટેટા, ૯૬૮પ કવીન્ટલ ડુંગળી, ૯૪પ૯ કવીન્ટલ ટામેટા અને ૪ર૮૭૧ કવીન્ટલ લીલાશાકભાજીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૭૦પ કવીન્ટલ સફરજન, ૭૪૭ કવીન્ટલ કેળાં અને ૩૩૮૬ કવીન્ટલ અન્ય ફળફળાદિ પણ રાજ્યમાં ઉપલબ્ધ છે. સમગ્ર રાજ્યમાં ૬૯ માર્કેટ-મંડીઓ કાર્યરત રહી છે અને વિતરણ વ્યવસ્થાનું કાર્ય કરે છે. શાકભાજીનો પુરવઠો પુરતો પ્રમાણમા છે, કોઈ મુશ્કેલી નથી. પ્રજાએ માર્કેટ યાર્ડ કે જથ્થાબંધ માર્કેટમાં જેવું નહિ. નહિ તો પોલીસ પગલાં ભરશે. લોકો શાકભાજીમાં ભરી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. 

આ ઉપરાંત પગપાળા નીકળી પડેલ શ્રમિકોને 250 જેટલી એસટી બસ અને 500 ખાનગી વાહનોમાં પોતાના વતનમાં મોકલવામાં આવ્યા છે. તો બીજી તરફ સરકારે શ્રમિકોને પગપાળા ન નીકળવાની અપીલ કરી છે. તમામ લોકોની રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે એવી ખાતરી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news