ઉનાળું પાકના વાવેતર માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, હવે નહીં સૂકાઈ પાક

રાજ્યના જે ડેમોમા જૂથ યોજાનાઓ છે ત્યાં નર્મદા સિવાયનું પણ પાણી આપવામાં આવશે. જેના પરિણામે આ વર્ષે રાજ્યના ખેડૂતોને વાવેતરમાં વધુ સરળતા રહેશે તેવું મંત્રીએ ઉમેર્યુ હતુ. રાજ્યમાં આ વર્ષે પણ ઉનાળામાં  પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે

ઉનાળું પાકના વાવેતર માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, હવે નહીં સૂકાઈ પાક

ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યના ખેડૂતોને ઉનાળામાં સિંચાઈ માટે વધારાનું 2.27 મિલિયન એકર ફીટ પાણી મળશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે નર્મદા કંટ્રોલ ઓથોરિટી મારફતે ગુજરાતને દર વર્ષે ફાળવણી થતા 9 મિલિયન એકર ફીટ પાણીના સ્થાને આ વખતે 11.27 મિલિયન એકર ફીટ પાણીની ફાળવણી કરી છે. જેના કારણે આ વખતે ખેડૂતોને વધારાનું સિંચાઈનું પાણી મળશે. જેના કારણે ખેડૂતોને વાવેતરમાં વધુ સરળતા રહેશે. તો આ વખતે રાજ્યમાં પીવાના પાણીની પુરતી વ્યવસ્થા છે તેવું જણાવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, આ વર્ષે રાજ્યના ખેડૂતોને ઉનાળામાં સિંચાઇ માટે વધારાનું 2.27 મિલીયન એકર ફીટ પાણી મળશે. આ વર્ષે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ગુજરાતને દર વર્ષે ફાળવણી થતા 9 MAF પાણીના સ્થાને કુલ 11.27 મિલયન એકર ફીટ પાણીની ફાળવણી કરી છે. જેના પરિણામે આ વર્ષે ગુજરાતના ખેડૂતોના ભાગે વધારાનું પાણી સિંચાઇ માટે ઉપલબ્ધ બનશે. 

વધુમાં તેમણે ઉમેર્યુ કે રાજ્યના જે ડેમોમા જૂથ યોજાનાઓ છે ત્યાં નર્મદા સિવાયનું પણ પાણી આપવામાં આવશે. જેના પરિણામે આ વર્ષે રાજ્યના ખેડૂતોને વાવેતરમાં વધુ સરળતા રહેશે તેવું મંત્રીએ ઉમેર્યુ હતુ. રાજ્યમાં આ વર્ષે પણ ઉનાળામાં  પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news