ડિસાઃ વિઠોદર ગામે દલિતો સાથે ભેદભાવ, મંદિરમાં નથી અપાતો પ્રવેશ

 ડિસાઃ વિઠોદર ગામે દલિતો સાથે ભેદભાવ, મંદિરમાં નથી અપાતો પ્રવેશ

બનાસકાંઠાઃ એક તરફ આપણે વિકાસની વાતો કરીએ છીએ. પરંતુ સમાજમાં દલિતો સાથે હજુપણ ઘણી જગ્યાએ સારો વ્યવહાર કરવામાં આવતો નથી. આવી જ એક ઘટના ડિસામાં બની છે. ડિસામાં આવેલા વિઠોદર ગામે દલિતોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. દલિત સમાજ દ્વારા આ મુદ્દે કલેક્ટર અને એસપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ સાથે દલિત સમાજે કહ્યું કે, આગામી દિવસોમાં મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news