GUJARAT CORONA UPDATE: રાજ્ય માટે સારા સમાચાર, કોરોના કેસમાં મોટો ઘટાડો; જાણો આજે કેટલા કેસ

રાજ્યમાં હાલ 1,868 એક્ટિવ કેસ છે. જેમાંથી 13 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1,855 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,56,970 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે

GUJARAT CORONA UPDATE: રાજ્ય માટે સારા સમાચાર, કોરોના કેસમાં મોટો ઘટાડો; જાણો આજે કેટલા કેસ

ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં સતત ઘટડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં હાલ પણ 100 થી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 158 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 243 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.99 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1,868 એક્ટિવ કેસ છે. જેમાંથી 13 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1,855 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,56,970 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. અમદાવાદમાં કોરોનાના કારણે આજે એક દર્દીનું મોત થયું છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 11,007 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 39 કેસ સામે આવ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં 20, સુરત કોર્પોરેશનમાં 19, ગાંધીનગરમાં 12, રાજકોટમાં 8, સુરતમાં 8, ગાંધીનગર કોર્પોરેશનમાં 5, રાજકોટ કોર્પોરેશનમાં 5, સાબરકાંઠામાં 5, આણંદમાં 4, મોરબીમાં 4, નવસારીમાં 4, બનાસકાંઠામાં 3, મહેસાણામાં 3, પોરબંદરમાં 3, વલસાડમાં 3, અમરેલીમાં 4, ભાવનગર કોર્પોરેશનમાં 2, કચ્છમાં 2, પંચમહાલમાં 2, વડોદરામાં 2, બોટાદમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1 અને પાટણમાં 1 કેસ નોંધાયો છે.

જો હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 49 દર્દી સાજા થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 26, સુરત કોર્પોરેશનમાં 12, ગાંધીનગરમાં 2, રાજકોટમાં 2, સુરતમાં 31, ગાંધીનગર કોર્પોરેશનમાં 5, રાજકોટ કોર્પોરેશનમાં 18, સાબરકાંઠામાં 1, આણંદમાં 7, મોરબીમાં 3, નવસારીમાં 9, બનાસકાંઠામાં 7, મહેસાણામાં 9, વલસાડમાં 8, અમરેલીમાં 5, ભાવનગર કોર્પોરેશનમાં 21, કચ્છમાં 5, પંચમહાલમાં 3, વડોદરામાં 6, અમદાવાદમાં 2, ભરૂચમાં 1, દાહોદમાં 1, જામનગરમાં 2, ખેડામાં 2, મહીસાગરમાં 3 અને પાટણમાં 3 દર્દીઓ સાજા થયા છે.

જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 1,88,347 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 907 ને રસીનો પ્રથમ અને 3118 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 99 ને રસીનો પ્રથમ અને 202 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 18,914 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 405 ને રસીનો પ્રથમ અને 1284 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 1,63,418 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,32,09,195 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news