Gujarat Corona Update: કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો, 121 દર્દીઓના મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11,084 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 14,770 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 5,33,004 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

Gujarat Corona Update: કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો, 121 દર્દીઓના મોત

ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યના લોકો માટે છેલ્લા કેટલાક દિવસોથી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11084 કેસ નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11,084 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 14,770 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 5,33,004 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે 78.27 ટકાએ પહોંચ્યો છે. 

અત્યાર સુધીમાં 1,03,27,556 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 32,14,079 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,35,41,635 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18 થી 44 વર્ષ સુધીના 13,537 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45-60 વર્ષનાં કુલ 24,886 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 91,215 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,39,614 એક્ટિવ દર્દી છે, જે પૈકી 786 લોકો વેન્ટિલેટર પર છે અને 1,38,828 લોકો સ્ટેબલ છે. 5,33,004 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 8,394 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 18, સુરત કોર્પોરેશનમાં 7, રાજકોટ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 7, જામનગર કોર્પોરેશનમાં 8, ભાવનગર કોર્પોરેશનમાં 4, જૂનાગઢ કોર્પોરેશનમાં 5 અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયા છે.

આ ઉપરાંત મહેસાણા 4, રાજકોટ 7, વડોદરા 5, સુરત 5, જુનાગઢ 6, ભરૂચ 2, પંચમહાલ 2, જામનગર 6, ગીર સોમનાથ 3, આણંદ 1, દાહોદ 1, કચ્છ 4, ખેડા 1, બનાસકાંઠા 2, પાટણ 1, અમરેલી 1, મહિસાગર 2, સાબરકાંઠા 3, અરવલ્લી 2, દેવભૂમિ દ્વારકા 2, છોટાઉદેપુર 2, સુરેંદ્રનગર 1, અમદાવાદ 1, અને તાપી 1 દર્દીનું મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ 121 દર્દીઓના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news