GUJARAT CORONA UPDATE: નવા 40 કેસ, 82 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

રાજ્યમાં આજે કોરોનાના 40 નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 82 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,12,011 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.06 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 78,925 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. 

GUJARAT CORONA UPDATE: નવા 40 કેસ, 82 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના 40 નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 82 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,12,011 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.06 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 78,925 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. 

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 566 એક્ટિવ કેસ છે. જે પૈકી 07 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 559 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 12,12,011 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10938 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ કોર્પોરેશનમાં 18, ગાંધીનગર કોર્પોરેશન 3, મોરબી 3, તાપી, વડોદરા અને વડોદરા કોર્પોરેશનમાં 2-2, આણંદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, ખેડા, રાજકોટ કોર્પોરેશન, સુરત, સુરત કોર્પોરેશન અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા હતા. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18-45 વર્ષના નાગરિકો પૈકી 7772 ને રસીનો પ્રથમ જ્યારે 38897 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 2202 ને રસીનો પ્રથમ જ્યારે 20165 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 9889 ને આજે પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે આજના દિવસમાં કુલ 78,925 અને અત્યાર સુધીમાં કુલ 10,38,88,480 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news