GUJARAT CORONA UPDATE: નવા 24 કેસ, 31 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

રાજ્યમાં કોરોના કાબુમાં આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 24 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 31 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,14,696 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં 8,81,446 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 
GUJARAT CORONA UPDATE: નવા 24 કેસ, 31 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : રાજ્યમાં કોરોના કાબુમાં આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 24 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 31 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,14,696 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં 8,81,446 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 206 કેસ એક્ટિવ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે. 200 નાગરિકો સ્ટેબલ છે. 8,14,696 દર્દીઓ ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10076 નાગરિકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. જો કે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી. જે ગુજરાત માટે ખુબ જ રાહતના સમાચાર છે.

જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્ક્સ પૈકી 161 લોકોને પ્રથમ ડોઝ અને 7561 વર્કર્સને બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 114563 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 73187 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષનાં 352483 નાગરિકોને રસીનો પ્રથમ અને 33491લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 5,81,446 કુલ રસીના ડોઝ આજના દિવસમાં નાગરિકોને અપાયા છે. જ્યારે અત્યાર સુધી 3,50,0,034 રસીના ડોઝ અત્યાર સુધીમાં અપાઇ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news