GUJARAT CORONA UPDATE: નવા 10 કેસ, 27 દર્દી રિકવર થયા, 1 નાગરિકનું મોત

ગુજરાતમાં આજે કોરોનાના માત્ર 10 નવા કેસ આવ્યા હતા. તો બીજી તરફ 27 દર્દીઓ રિકવર પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,540 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 2,60,440 નાગરિકોનું રસીકરણ થયું છે. 
GUJARAT CORONA UPDATE: નવા 10 કેસ, 27 દર્દી રિકવર થયા, 1 નાગરિકનું મોત

ગાંધીનગર : ગુજરાતમાં આજે કોરોનાના માત્ર 10 નવા કેસ આવ્યા હતા. તો બીજી તરફ 27 દર્દીઓ રિકવર પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,540 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 2,60,440 નાગરિકોનું રસીકરણ થયું છે. 

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 308 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 304 નાગરિકો સ્ટેબલ છે. જ્યારે 12,12,540 નાગરિકો અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10,942 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે પણ ગાંધીનગરમાં એક નાગરિકનું મોત થઇ ચુક્યું છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન અને વડોદરામાં 1-1 કેસ સહિત આજે કુલ 10 કેસ નોંધાયા છે. 

રસીકરણના મોરચે સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 2616 ને રસીનો પ્રથમ અને 21616 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 2451 ને રસીનો પ્રથમ અને 10931 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ ઉપરાંત 15947 ને પ્રિકોર્શ ડોઝ અને 12-14 વર્ષના તરૂણો પૈકી 206879 ને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 2,60,440 રસીના ડોઝ આજના દિવસમાં અને અત્યાર સુધીમાં કુલ 10,51,54,419 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news