ગાંધીનગરમાં માજી સૈનિકોનું આંદોલન ઉગ્ર બન્યું: પોલીસની બસને ઘેરી ઉથલાવવાનો પ્રયાસ

શાહીબાગમાં શહીદ સ્મારક નજીક માજી સૈનિકો દ્વારા સૈનિક સન્માન યાત્રાનું પણ આયોજન કરાયું છે. માજી સૈનિકો અને શહીદ પરિવારના હક્કને લઈને સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તેને પોલીસ મંજૂરી મળી નથી.

ગાંધીનગરમાં માજી સૈનિકોનું આંદોલન ઉગ્ર બન્યું: પોલીસની બસને ઘેરી ઉથલાવવાનો પ્રયાસ

અર્પણ કાયદાવાલા/ગાંધીનગર: આજે ગાંધીનગરમાં સરકાર સામે કપરાં ચઢાણ જોવા મળી રહ્યા છે. પડતર મંગણીઓને લઈને માજી સાનિકો આંદોલનના માર્ગે ગાંધીનગરમાં ધામા નાંખ્યા છે. સરકાર સમક્ષ રહેલી પોતાની પડતર માંગણીઓને લઈમે એકઠા થયા છે. જેમાં મળતી માહિતી પ્રમાણે પોલીસે અમુક માજી સૈનિકોની અટકાયત કરી છે. એટલું જ નહીં, પોલીસે માજી સૈનિકોની રેલીને પણ અટકાવી દીધી છે. બીજી બાજુ માજી સૈનિકોએ પોલીસને બસને ઘેરી લીધી છે અને તેને ઉથલાવવાનો પ્રયાસ કરાયો છે.

શાહીબાગમાં શહીદ સ્મારક નજીક માજી સૈનિકો દ્વારા સૈનિક સન્માન યાત્રાનું પણ આયોજન કરાયું છે. માજી સૈનિકો અને શહીદ પરિવારના હક્કને લઈને સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તેને પોલીસ મંજૂરી મળી નથી. માજી સૈનિક હિત માટે વિવિધ કલ્યાણ લક્ષી મુદ્દાઓની લડત શરૂ કરી છે. શાહીબાગ શહીદ સ્મારકથી ગાંધીનગર સચિવાલય સુધી સન્માન યાત્રાનું આયોજન કરાયું છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 6, 2022

સમગ્ર ગુજરાતમાંથી 10 હજારથી વધુ પરિવાર જોડાવવાની શકયતા સેવવામાં આવી છે. છેલ્લા 4 વર્ષથી માજી સૈનિક પોતાના હક્ક માટે સરકાર સામે લડી રહ્યા છે. સરકારમાં તમામ કક્ષાએ રજુઆત કરી છતાં કોઈ ઉકેલ નહિ આવ્યો હોવાનું પૂર્વ સૈનિક સંગઠન જણાવી રહ્યું છે. સંગઠન આગેવાન જણાવી રહ્યા છે કે, શહીદોને વળતર, પૂર્વ સૈનિકોને જમીન પ્લોટ સહિતના 14 મુદ્દે સરકાર તરફથી કોઈ જવાબ મળી રહ્યો નથી. જેણા કારણે આજે સરકારમાંથી કોઈ જવાબ નહિ મળે તો પગપાળા ગાંધીનગર કુછ કરવાની પણ જાહેરાત કરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news