અમદાવાદ: અત્યાચારનો પ્રવાહ બદલાયો, પુત્રવધુના ત્રાસથી સાસુએ ભર્યું અંતિમ પગલું

વર્તમાન સ્થિતીમાં તો એવા જ કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં વહુએ સાસુના ત્રાસથી આપઘાત કર્યો છે.

અમદાવાદ: અત્યાચારનો પ્રવાહ બદલાયો, પુત્રવધુના ત્રાસથી સાસુએ ભર્યું અંતિમ પગલું

જાવેદ સૈયદ/અમદાવાદ: વર્તમાન સ્થિતીમાં તો એવા જ કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં વહુએ સાસુના ત્રાસથી આપઘાત કર્યો છે. ત્યારે અમદાવાદમાં એવી ઘટના પ્રકાશમાં આવી છે,કે વહુના ત્રાસથી સાસુએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવી ઘટના સામે આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.

આ મામલામાં મળતી માહિતી પ્રમાણે અમદાવાદનાં સાબરમતી વિસ્તારમાં પુત્રવધુનાં ત્રાસથી સાસુએ આપઘાત કર્યાનાં સમાચાર સામે આવ્યા હતા. ઘરમાંથી કાઢી મુકવા અને વાંરવાર ઝગડાનાં ત્રાસથી કંટાળીને સાસુએ ફીનાઇલ પીને આપઘાત કર્યો હતો. પુત્રવધુનાં ત્રાસથી આપઘાત કર્યાનો પુત્રવધુ પર આરોપ લગાવાયો હતો. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે પુત્રવધૂની ધરપકડ કરી સઘન તપાસ હાથ ધરી છે. અમદાવાદનાં સાબરમતી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news