ગુજરાતના ખેડૂતોના મોઢે આવેલ કોળિયો શું ફરી છીનવાશે? આ રોગ બર્બાદ કરી નાંખશે રાયડાનો પાક

હાલ તો ખેડૂતો પાક બચાવવા માટે મોટા ખર્ચાઓ કરી જંતુનાશક દવાનો છંટકાવ કરી પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છૅ, પણ દાવાની આડ અસર પાક પર જોવા મળી રહી છૅ અને દાવાને લઇ ઉભો પાક સુકાવા લાગ્યો, જેને લઇ ખેડૂતોને હવે શું કરવું તેની વિમાષણમાં મુકાઈ જવા પામ્યા છૅ.

ગુજરાતના ખેડૂતોના મોઢે આવેલ કોળિયો શું ફરી છીનવાશે? આ રોગ બર્બાદ કરી નાંખશે રાયડાનો પાક

પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણ જિલ્લાના ખેડૂતોએ રવી સીઝનમાં મોટા ખર્ચાઓ કરી રાયડાનું મબલખ વાવેતર કર્યું અને ઘણી જાળવણી કરી પાક ઉછેર કર્યો અને હાલમાં ઠંડીનું પ્રમાણ એકાએક ઘટી જતા રાયડાના પાકમાં મોલોમસીનો રોગચાળો આવતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છૅ. 

પાટણ જિલ્લાના ખેડૂતોએ રવી સીઝનમા ઘણી આશાઓ સાથે ખેડ, ખાતર, બિયારણ પાછળ મોટા ખર્ચાઓ કરી રાયડાનું વાવેતર કર્યું અને ઘણી મુશ્કેલીઓ વેઠી પાક ઉછેર કર્યો અને હાલ પાક તૈયાર થવાના આરે રહેવા પામ્યો તેવા માં ઠંડીનું પ્રમાણ ઘટતા પાકમા મોલો મસી નામનો રોગ આવતા ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાય તેવી સ્થિતિ ઉભી થવા પામી છૅ. મોલો મસીના રોગને કારણે છોડ પર આવેલ ફૂલ ચૂસી જતા ખેડૂતોના પાક ઉત્પાદન પર મોટી અસર થવાની ભીતિ સેવી રહ્યા છૅ.

હાલ તો ખેડૂતો પાક બચાવવા માટે મોટા ખર્ચાઓ કરી જંતુનાશક દવાનો છંટકાવ કરી પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છૅ, પણ દાવાની આડ અસર પાક પર જોવા મળી રહી છૅ અને દાવાને લઇ ઉભો પાક સુકાવા લાગ્યો, જેને લઇ ખેડૂતોને હવે શું કરવું તેની વિમાષણમાં મુકાઈ જવા પામ્યા છૅ. પાટણ જિલ્લા મા રાયડાનું વાવેતર કુલ 29 હજાર હેક્ટરમાં થવા પામ્યું છૅ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news