મોટા સમાચાર : ચૂંટણી પંચે બહાર પાડેલા પરિપત્રને હાઈકોર્ટમાં પડકારાયો

મોટા સમાચાર : ચૂંટણી પંચે બહાર પાડેલા પરિપત્રને હાઈકોર્ટમાં પડકારાયો
  • મહાનગરોની ચૂંટણીના પરિણામ બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની મતદાન થાય તો મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે તેવી અરજદારે રજૂઆત કરી

આશ્કા જાની/અમદાવાદ :સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પંચે બહાર પાડેલા પરિપત્રને હાઈકોર્ટમાં પડકારાયો છે. નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી (Local Body Polls) થાય તે જોવાની જવાબદારી તમામની હોવાની રજૂઆત કરાઈ છે. ચૂંટણીપંચના પરિપત્ર પ્રમાણે મુક્ત અને ન્યાયી ચૂંટણી સંભવ નહિ બને તેવી રજૂઆત કરાઈ છે. મહાનગરોની ચૂંટણીના પરિણામ બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની મતદાન થાય તો મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે તેવી અરજદારે રજૂઆત કરી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના મતગણતરીની તારીખ એક જ રાખવી જોઈએ તેવી અરજીમાં રજૂઆત કરાઈ છે. ત્યારે આગામી દિવસોમાં આ અંગે સુનાવણી હાથ ધરાશે. 

અમિત ચાવડાની ટ્વીટ
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરીને કહ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમે તૈયાર છીએ. વર્ષ 2015માં હાઇકોર્ટેના આદેશ બાદ પણ ભાજપના દબાણમાં મતગણતરીની અલગ અલગ તારીખ જાહેર કરાઈ છે. ચૂંટણીપંચના આ નિર્ણયને અમે કોર્ટમાં પડકારીશું.

આ પણ વાંચો : અથાગ મહેનતનું પરિણામ : સુરતના 2 TRB જવાનોનું ITBP અને CISF માં થયું સિલેક્શન

ચૂંટણીઓ ક્યારે 
ફેબ્રુઆરીમાં 6 મહાનગરપાલિકા, 6 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય તથા ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી (Gujarat Local Body Polls) યોજાનાર છે. ત્યારે કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો અને ઉમેદવારોના ચૂંટણી પ્રચાર પર કોરોના ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. 

ચૂંટણી પંચે પ્રચાર માટે ગાઈડલાઈન બહાર પાડી 
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Local Body Polls) ને લઈ કોવિડ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી અયોગે કોવિડ ગાઈડલાઈન (corona guideline) જાહેર કરી છે. કોવિડ સંક્રમણ રોકવા અને નિયમોના પાલન માટે રાજ્ય કક્ષાએથી લઈ નગરપાલિકાઓ અને તાલુક કક્ષાએ નોડલ ઓફિસરની નિમણૂંક થશે. જેમાં ચૂંટણીમાં પ્રચાર (election campaign) ને લઈને વિવિધ નિયમો બનાવવામાં આવ્યા છે. 

આ પણ વાંચો : Rajkot માં કોરોનાથી મૃત્યુઆંક શૂન્ય પર પહોંચ્યો, તંત્રે રાહતનો શ્વાસ લીધો

ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ચૂંટણીમાં ડોર ટુ ડોર પ્રચાર (door to door campaign) માટે પાંચ વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવી છે. શક્ય હોય ત્યાં સુધી ઉમેદવારોને ઓનલાઈન પ્રચાર કરવા સૂચન અપાયા છે. જો કોઈ કોવિડથી સંક્રમિત ઉમેદવાર હોય તો તેણે ઓનલાઇન પ્રચાર કરવાનો રહેશે. મેળાવડાઓમાં કેન્દ્રના સૂચનોના પાલન માટે જિલ્લા આરોગ્ય અધિકારી, પોલીસ અધિક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારી જવાબદારી સોંપાઈ છે. પ્રચાર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ (social distance), માસ્ક અને સેનિટાઈઝેશન જેવી બાબતો પર ભાર મૂકવા સૂચન કરાયું છે. 

ફેબ્રુઆરીમાં 6 મહાનગરપાલિકા, 6 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય તથા ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી (Gujarat Local Body Polls) યોજાનાર છે. ત્યારે કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો અને ઉમેદવારોના ચૂંટણી પ્રચાર પર કોરોના ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news