ડાકોર મંદિરમાં બે બહેનોની પૂજાના વિવાદ વચ્ચે ‘ગોત્ર’ આડે આવ્યું

ડાકોર મંદિરમાં બે બહેનોની પૂજાના વિવાદ વચ્ચે ‘ગોત્ર’ આડે આવ્યું
  • ડાકોરનો 1200 વર્ષ જૂનો ઈતિહાસ બદલાશે, બે મહિલાઓએ મંદિરમાં પૂજા કરવાની કરી માંગ

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ ડાકોરમા ફરી એકવાર વિવાદનો મધપૂડો છંછેડાયો છે. રણછોડરાયની સેવાને લઈને વારાદારી બહેનો દ્વારા માંગ કરાઈ છે. મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા નથી કરી, ત્યારે ઇન્દિરાબેન અને ભગવતીબેન નામની બંન્ને બહેનોએ કોઈપણ સંજોગોમાં રણછોડરાયની સેવા પૂજા કરશે તેવી જાહેરાત કરી હતી. ગઈકાલે શનિવારે બંને બહેનો મંદિર પહોંચી પણ હતી, પણ મંદિરની કમિટિ ટસ કે મસ થઈ ન હતી, અને બહેનોને પૂજા કરવા દીધી ન હતી. આ વચ્ચે ભારતીય શાસ્ત્રોમાં કહેવાતા ગોત્રનો મોટો રોલ સામે આવ્યો. આ વિશે મંદિરની કમિટિનું શુ કહેવુ છે તે જાણીએ.

ગઈકાલે આખો દિવસ રાહ જોયા બાદ અને કમિટિ સામે લડ્યા બાદ પણ ઇન્દિરાબેન અને ભગવતીબેનને મંદિરમાં સેવા કરવાનો મોકો મળ્યો ન હતો. બંને બહેનો પોતાની માંગ પર અડીખમ છે. બંને બહેનો શનિવારે મંદિરના ગર્ભગૃહની બહાર બેસી રહી હતી, પણ મંદિર કમિટિ દ્વારા તેમને અંદર જવા દેવાઈ ન હતી. બંને બહેનોએ કોઈ પણ હોહા કર્યા વગર શાંતિપૂર્વક માંગણી કરી હતી. લગભગ 13 કલાક સુધી મંદિરના ગર્ભગૃહમાં બહેનો માંગણી કરતી બેસી રહી હતી. તેમણે કહ્યુ હતું કે, 

લગ્ન બાદ બહેનોનુ ગોત્ર બદલાઈ ગયુ છે. 
આ વિશે મંદિરની કમિટિએ મોટુ કારણ આપ્યુ છે. કમિટિએ કહ્યુ કે, આ બંને મહિલાઓના લગ્ન થઈ ગયા છે, ગોત્ર પણ બદલાઈ ગયા છે. અને કોર્ટ દ્વારા પણ કોઈ સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો નથી. જેથી તેઓ સેવા પૂજા કરી શકે નહીં. 

2 અને 3 તારીખે બંને મહિલાઓનો પૂજા કરવાનો વારો 
ડાકોરના મંદિરના ઈતિહાસમાં આજદિન સુધી કોઈ મહિલાએ પૂજા નથી કરી. ડાકોરમાં રણછોડરાયની પૂજા કરવા દેવા માટે વંશ પરંપરાગત વારાદારી મહિલા બહેનો દ્વારા માંગ કરાઈ છે. આ બંને મહિલાઓએ કહ્યું કે, તા.2 અને 3 ઓક્ટોબર ના રોજ તેમના પરિવારનો સેવા પૂજાનો વારો આવતો હોઈ મંદિર દ્વારા તેમના પ્રતિનિધિ ને પૂજા કરવા મોકલે તેવો પત્ર પાઠવાયો હતો. જેથી આ બંને બહેનો દ્વારા જાતે જ સેવા પૂજા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ બંને બહેનોએ પૂજા કરવા માટે સુરક્ષાની પણ માંગ કરી છે. તેમના પર આ સમયે કોઈ હુમલો થઈ શકે છે, તેથી સુરક્ષાના ભાગરૂપે તેમણે આ માંગણી કરી છે.  

કોણ છે વગાદારી પરિવારની આ બહેનો
ડાકોર મંદિરમાં 1978 પહેલા કૃષ્ણલાલ સેવકનો પરિવાર વારાદારી તરીકે પૂજા કરતો આવ્યો છે. પરંતુ તેમને સંતાનમાં બે દીકરીઓ હોવાથી મંદિરમા પૂજા કરવા વિશે વિવાદ ઉઠ્યો હતો. ત્યારે કૃષ્ણલાલ સેવકના ભાઈ જયંતિલાલ સેવક અને ગરાધર સેવકે પોતે પૂજા કરશે તેવો કોર્ટ કેસ કર્યો હતો. જોકે, આ 2018 ના વર્ષમાં કેસનો ચુકાદો પોતાની તરફેણમાં આવ્યો હોવાનો ઇન્દિરાબેન અને ભગવતીબેનનો દાવો છે.

મંદિર કમિટિ દ્વારા બહેનોને પત્ર લખાયો હતો
મંદિરના ટ્રસ્ટ દ્વારા બંને બહેનોને પત્ર લખાયો હતો કે, કૃષ્ણલાલ સેવકના પરિવારનો વારો હોઈ અને તેમને સંતાનમાં બે દીકરીઓ હોઈ સેવક તરીકે તેમના કોઈ બીજા પ્રતિનિધિને નિમવામાં આવે. પરંતુ બહેનોએ પ્રતિનિધિ નીમ્યો ન હતો. તેથી મંદિરે શ્રીગોળ પંચ અને મંદિર દ્વારા પ્રતિનિધિની નિમણૂંક કરી હતી. સેવક વતી એ પ્રતિનિધિ દ્વારા પૂજા કરવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news