Corona In India: ફરી બુલેટની ઝડપે વધી રહ્યાં છે કોરોનાના કેસ, ભારતમાં 4ના મોત, આ રાજ્યોમાં હાહાકાર

Covid-19 Cases in India: શનિવારે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR) ના ડિરેક્ટર, રાજીવ બહેલે તમામ રાજ્યોને પત્ર લખીને કોરોનાના વધતા કેસો વિશે ચેતવણી આપી હતી. તમામ હોસ્પિટલોને 10 અને 11 એપ્રિલે મોક ડ્રીલ કરવા માટે કહેવામાં આવ્યું છે.
 

Corona In India: ફરી બુલેટની ઝડપે વધી રહ્યાં છે કોરોનાના કેસ, ભારતમાં 4ના મોત, આ રાજ્યોમાં હાહાકાર

નવી દિલ્હીઃ Corona Virus Updates: કોરોના વાયરસે ફરી એકવાર ટેન્શન વધાર્યું છે. છેલ્લા 24 કલાકમાં 1,805 નવા દર્દીઓ સામે આવ્યા છે. છેલ્લા 7 દિવસમાં, વિશ્વમાં 6.57 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન 4,338 લોકોના મોત થયા છે. ભારતમાં પણ કોરોના વાયરસના કારણે 4 લોકોના મોત થયા છે. ખાસ વાત એ છે કે આ ચાર મૃત્યુમાંથી 3 ઉત્તર ભારતમાં થયા છે.

ભારતમાં કુલ કેસ

માર્ચ 27 - 10300

માર્ચ 26 - 9433

માર્ચ 25 - 8601

ક્યાં કેટલા કેસ

મહારાષ્ટ્રમાં 2117 કેસ

ગુજરાતમાં 1697 કેસ

કર્ણાટકમાં 792 કેસ

તમિલનાડુમાં 608 કેસ

દિલ્હીમાં 528 કેસ

છેલ્લા 24 કલાકમાં જે રાજ્યોમાંથી મૃત્યુ નોંધાયા છે તેને જોતા એવું લાગે છે કે દક્ષિણ અને મધ્ય ભારત બાદ હવે ઉત્તર ભારતમાં પણ કોરોના વાયરસનો દબદબો જોવા મળી રહ્યો છે. યુપી, ચંદીગઢ, હિમાચલ અને ગુજરાતમાં એક-એક મૃત્યુ નોંધાયા છે. આ સિવાય કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુમાં બે જૂના મોત પણ નોંધાયા છે. જો છેલ્લા ત્રણ વર્ષમાં અત્યાર સુધીના કુલ કેસોની વાત કરીએ તો યુએસએ (106,102,029) પછી ભારતમાં (44,705,952) કોરોના દર્દીઓની સૌથી વધુ સંખ્યા છે. પરંતુ હાલમાં વિશ્વમાં દરરોજ નવા કેસ પર નજર કરીએ તો ભારત સાતમા નંબરે આવે છે. છેલ્લા 24 કલાકના આંકડા મુજબ પ્રથમ નંબર પર

રશિયા - 10,940 કેસ

દક્ષિણ કોરિયા - 9,361 કેસ

જાપાન - 6,324 કેસ

ફ્રાન્સ - 6,211 કેસ

ચિલી - 2,446 કેસ

ઑસ્ટ્રિયા - 1,861 કેસ

ભારત - 1,805

હાલમાં, ભારતમાં દૈનિક પોઝિટીવીટી દર 0.08 ટકા છે અને સાપ્તાહિક પોઝિટીવીટી રેટ દર 0.08 ટકા છે. જો કે ચીને હજુ સુધી કોઈ વિશ્વસનીય ડેટા શેર કર્યો નથી, પરંતુ WHO અનુસાર, ચીનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 99 મિલિયન સુધી પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 120,775 લોકોના મોત થયા છે. ચીનમાં છેલ્લા સાત દિવસમાં 54,449 લોકોમાં વાયરસ નોંધાયો છે. છેલ્લા સાત દિવસમાં વિશ્વભરમાં કોરોનાના 6.57 લાખથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા સાત દિવસમાં 4,338 લોકોના મોત થયા છે. હવે દેશમાં સક્રિય કેસનો દર 0.02 ટકા છે. મતલબ કે દર 100 લોકોમાં કેટલા સંક્રમિત છે. રિકવરી રેટ 98.8 ટકા પર પહોંચી ગયો છે.

શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ અને ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર રાજીવ બહેલે તમામ રાજ્યોને પત્ર લખીને કોરોનાના વધતા કેસો અંગે ચેતવણી આપી હતી. તમામ હોસ્પિટલોને 10 અને 11 એપ્રિલે મોક ડ્રીલ કરવા માટે કહેવામાં આવ્યું છે. દરેક જિલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલોને પથારી, દવાઓ, ઓક્સિજન અને વેન્ટિલેટરની વ્યવસ્થા ચકાસવા માટે મોકડ્રીલ કરવા સૂચના આપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news