GUJARAT માં કોરોનાની બેવડી સદી, અમદાવાદમાં કુલ 100 કેસ નોંધાતા ફફડાટ

  ગુજરાતમાં કોરોનાના આંકડાઓ રોજે રોજ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાનાં 204 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 65 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,363 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ ગગડીને 98.65 ટકાએ પહોંચ્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ાજે 4,02,136 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. 

GUJARAT માં કોરોનાની બેવડી સદી, અમદાવાદમાં કુલ 100 કેસ નોંધાતા ફફડાટ

ગાંધીનગર :  ગુજરાતમાં કોરોનાના આંકડાઓ રોજે રોજ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાનાં 204 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 65 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,363 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ ગગડીને 98.65 ટકાએ પહોંચ્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ાજે 4,02,136 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. 

No description available.
(રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ)

No description available.
(રાજ્યમાં આજે નવા નોંધાયેલા કેસની વિગત)

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1086 એક્ટિવ કેસ છે. જે પૈકી 14 નાગરિકો વેન્ટિલેટર પર છે. 1072 સ્ટેબલ છે. 8,18,363 ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10114 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે જામનગર કોર્પોરેશનમાં એખ દર્દીનું મોત થયું છે. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 98, રાજકોટ કોર્પોરેશન 33, સુરત કોર્પોરેશન 22, વડોદરા કોર્પોરેશન 16, ગાંધીનગર કોર્પોરેશન, ખેડામાં 4-4, મહીસાગર-રાજકોટમાં 3-3, અમદાવાદ, આણંદ, ભરૂચ અને કચ્છમાં 2-2, બનાસકાંઠા, ભાવનગર કોર્પોરેશન, દાહોદ, જામનગર કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશન, મહેસાણા, નવસારી, પંચમહાલ, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે. 

No description available.
(રાજ્યમાં આજે ઓમિક્રોનનાં નવા નોંધાયેલા કેસની વિગત)

No description available.
(રાજ્યમાં અત્યાર સુધીની ઓમિક્રોનની હિસ્ટ્રી)

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 7ને પ્રથમ, 2558 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 13944 નાગરિકોને રસીનો પ્રથમ અને 87118 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 44380 ને પ્રથમ 254129 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં 4,02,136 રસીના ડોઝ આજે અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,85,98,366 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

No description available.
(ગુજરાતમાં કોરોનાના રસીકરણની વિગત)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news