બોટાદ: તીર્થધામ સાળંગપુર હનુમાનજીને શાંતાક્લોઝના વાઘા પહેરાવતા સર્જાયો વિવાદ

સાળંગપુર હનુમાન મંદિરમાં હનુમાનજીને શાંતાક્લોઝના વાઘા પહેરાવતા વિવાદ સર્જાયો હતો.

બોટાદ: તીર્થધામ સાળંગપુર હનુમાનજીને શાંતાક્લોઝના વાઘા પહેરાવતા સર્જાયો વિવાદ

રધુવીર મકવાણા/બોટાદ:  સાળંગપુર હનુમાન મંદિરમાં હનુમાનજીને શાંતાક્લોઝના વાઘા પહેરાવતા વિવાદ સર્જાયો હતો. મહત્વનું છે, કે અમેરિકાના કોઇ ભક્ત દ્વારા ભગવાનને વાઘા મોકલવામાં આવ્યા હતા. જેને લઇને સાંળગપુર હનુમાનજીને શિયાળાની ઠંડીમાં ભક્ત દ્વારા આ પ્રકારના વાધા પહેરાવાતા શાંતાક્લોઝ જેવો પોષાક હોવાથી વિવાદ સર્જાયો છે. 

આ અંગે મળતિ માહિતી મુજબ, સાળંગપુર પ્રસાશન દ્વારા શાંતાક્લોઝના વાઘા પહેરાવીને વેબસાઇટ પર ઓનલાઇન દેખાતા હિન્દુ સંગઠનો હરકતમાં આવ્યા હતા. મોટી સંખ્યામાં સ્થાનિક હિન્દુ સંગઠનના કાર્યકરોએ આ ધ્યાન આવતા મંદિરની પાસે વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે મંદિર પ્રશાસનના આ અંગે ધ્યાન પડત ભગવાન પડથી આ પ્રકારના વાઘા ઉતારી લેવામાં આવ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news