કેન્દ્રીય કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસના દેખાવો, પોલીસે કરી કાર્યકરોની અટકાયત

કેન્દ્રીય કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસ દેખાવો કરી રહ્યુ છે. વિધાનસભા પરિસર સામે સરદાર પટેલની પ્રતિમા પાસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા સરદાર પટેલની પ્રતિમાથી રાજભવન સુધી કૂચ કરવામાં આવશે. જો કે, પ્રતિબંધિત વિસ્તારમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો એકઠા થતા તેમની અટકાયત કરવામાં આવી છે

કેન્દ્રીય કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસના દેખાવો, પોલીસે કરી કાર્યકરોની અટકાયત

હિતલ પારેખ/ ગૌરવ પટેલ, ગાંધીનગર: કેન્દ્રીય કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસ દેખાવો કરી રહ્યુ છે. વિધાનસભા પરિસર સામે સરદાર પટેલની પ્રતિમા પાસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા સરદાર પટેલની પ્રતિમાથી રાજભવન સુધી કૂચ કરવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત તમામ લોકો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે ધરણા પર બેઠા હતા. જો કે, પ્રતિબંધિત વિસ્તારમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો એકઠા થતા તેમની અટકાયત કરવામાં આવી છે.

ખેડૂતો અને રાજકીય પક્ષોના સતત વિરોધ વચ્ચે ચોમાસુ સત્રમાં સંસદ દ્વારા પસાર કરાયેલા ખેડૂતો અને ખેતી સંબંધિત બિલોને સંમતિ આપવામાં આવી છે. જેને લઇને જેને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ખાતે દેખાવો કરવામાં આવી રહ્યાં છે. કૃષિ બિલને ખેડૂત વિરોધી હોવાનું દર્શાવી કોંગ્રેસ દ્વારા વિધાનસભા પરિસર સામે સરદાર પટેલની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ નેતાઓ સરદાર પટેલની પ્રતિમાથી રાજભવન સુધી કૂચ કરીને જશે. આ વિરોધ પ્રદર્શનમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા.

ત્યારે વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત તમામ લોકો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે ધરણા પર બેઠા હતા. જો કે, પ્રતિબંધિત વિસ્તાર હોવાથી કૂચ કરે તે પહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા જિલ્લા સ્તરે પણ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. જેમાં મહેસાણા, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, પ્રાંતિજ સહિત અનેક જગ્યાએ કોંગ્રેસના કાર્યકરોને અટકવવામાં આવ્યા છે.

જો કે, કોંગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડા અને બળદેવજી ઠાકોર ધારણા સ્થળે પહોંચ્યા હતા. ત્યારે ZEE 24 કલાક સાથે ખાસ વાતચીતમાં કોંગ્રેસ ધારાસભ્યોએ જણાવ્યું હતું કે, ખેડૂત વિરોધી કાળા કાયદાનો વિરોધ કરવા અહીં આવ્યા છે અને જરૂર પડે ખેડૂતોના હિતમાં આગામી દિવસોમાં અનેક કાર્યક્રમો આપવાની જાહેરાત કરી હતી. ત્યારે ગાંધીનગર સ્વર્ણિમ પાર્ક ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ આવવાની શરૂઆત થઈ ગઇ છે. કોંગ્રેસ દ્વારા ઘરણા કે રેલીની મંજૂરી માગવામાં નથી આવી પણ પોલીસને જાણ કરવામાં આવી છે.

ગાંધીનગર સ્વર્ણિમ પાર્ક પોલીસ છાવણીમાં ફરેવાયું છે. કોંગ્રેસના કાર્યકરો સ્વર્ણિમ પાર્ક ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રાજભવન સુધી કૂચ કરવાના હતા. ત્યારે સાંજે પાંચ કલાકે રાજ્યપાલને મળીને રજુઆત કરશે. ગાંધીનગર પોલીસના ડીવાયએસપી એમ કે રાણાએ ZEE 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં કોંગ્રેસ જે પ્રમાણે અહીં વર્તન કરશે તે પ્રમાણે પગલા ભરવામાં આવશે તેવી વાત કરી હતી. જો કે, પ્રતિબંધિત વિસ્તાર હોવાથી કૂચ કરે તે પહેલા કોંગ્રેસના કાર્યકરોની જિલ્લા સ્તરે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ત્યારે મહેસાણા, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, પ્રાંતિજ સહિત અનેક જગ્યાએ કોંગ્રેસના કાર્યકરોને અટકવવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news