ઉજ્જૈનના કાલભૈરવને જ નહી, ગુજરાતના 'ચોકીદાર'ને પણ ચડાવવામાં આવે છે દારૂ, થાય છે પૂજા

દેવ મોગરામાં સદીઓથી ચોકીદારની પુજા કરવામાં આવી રહી છે. આ ગામનાં નાગરિક દેવદારવનિયા ચોકીદારની પુજા કરે છે. તેમના અનુસાર તેઓ વર્ષોથી આ ગામની સુરક્ષા કરી રહ્યા છે. 

ઉજ્જૈનના કાલભૈરવને જ નહી, ગુજરાતના 'ચોકીદાર'ને પણ ચડાવવામાં આવે છે દારૂ, થાય છે પૂજા

અમદાવાદ : ચોકીદાર શબ્દ એવો છે જે જે દરેકે સાંભળ્યો હશે. ખાસકરીને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોંઢેથી પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં 'ચોદીદાર'ને દારૂ ચઢાવવામાં આવે છે. ગુજરાતનાં નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકાના આદિવાસી ગામ દેવ મોગરામાં સદીઓથી ચોકીદારની પુજા કરવામાં આવી રહી છે. આ ગામનાં નાગરિક દેવદારવનિયા ચોકીદારની પુજા કરે છે. તેમના અનુસાર તેઓ વર્ષોથી આ ગામની સુરક્ષા કરી રહ્યા છે. 

સ્થાનિક લોકોના અનુસાર એક વાર પંડોરી માતા નારાજ થઇને ઘર છોડીને જતા રહ્યા હતા. ત્યાર બાદ રાજા પાંડદેવે તેમને શોધવાનું ચાલુ કર્યું. તેમણે દેવ મોગરા ગામમાં તેમનો ઘોડો રોકી દીધો. માનસિંહે કહ્યું કે, આ સ્થાન લોકો માટે પુજનીય સ્થળ બની ગયું અને ત્યારબાદ અહીં પંડોરી માતાનું એક મંદિર બનાવવામાં આવ્યું. મંદિરથી થોડા અંતરે દેવદારવનિયા ચોકીદારનું મદિર પણ બનાવવામાં આવ્યું છે. 

સ્થાનિક લોકોની માન્યતા છે કે દેવદરવનિયા ચોકીદાર માતા અને અમારી રક્ષા કરે છે. જે ભક્ત પંડોરી માતાની પુજા કરવા માટે આવે છે તે તેમણે પહેલા ચોકીદારના મંદિરે જવુ પડે છે. આખુ વર્ષ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ભક્તો અહીં દર્શન કરવા માટે આવતા રહે છે. દિવાળી અને નવરાત્રી દરમિયાન અહી મેળો ભરાય છે. સૌથી રસપ્રદ બાબત છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતા પણ ભક્તો તેને દેશી દારૂ પ્રસાદ તરીકે ચડાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news