સરકારી નોકરીવાળાને ઘી-કેળા, ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થુ વધાર્યું

Gujarat Day Gift To Government Emlpoyees : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગૌરવ દિવસે રાજ્ય સરકારના કર્મચારીઓ તથા નિવૃત્ત કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી

સરકારી નોકરીવાળાને ઘી-કેળા, ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થુ વધાર્યું
  • રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સ માટે મોટા સમાચાર
  • મોંઘવારી ભથ્થામાં 1-7-2021થી 3 ટકાનો વધારો કરાયો
  • સાતમા પગારપંચના કર્મચારીઓને 3 ટકાનો વધારો અપાશે
  • છઠ્ઠા પગારપંચના કર્મચારીઓને 7 ટકાનો વધારો અપાશે
  • એરિયર્સ સાથે મોંઘવારી ભથ્થાનો લાભ ચૂકવાશે-

ગાંધીનગર :ગુજરાત સ્થાપના દિવસ પર ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે 7 ટકાનો વધારો જાહેર કર્યો છે. સાતમા પગારપંચના કર્મચારીઓને 3 ટકાનો વધારો અપાશે. 1 જુલાઈ, 2021 ની અસરથી આપવાનો સ્તુત્ય નિર્ણય કર્યો છે. 

ગુજરાત સરકારના આ નિર્ણયના પરિણામે મોંઘવારી ભથ્થાના તફાવતનું 10 માસનું જે એરિયર્સ કર્મચારીઓને ચૂકવવાનું થાય છે, તે બે હપ્તામાં ચૂકવવામાં આવશે. એટલે કે તફાવતની રકમનો પ્રથમ હપ્તો મે-2022 અને બીજો હપ્તો જૂન-2022 ના પગાર સાથે ચૂકવવામાં આવશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગૌરવ દિવસે રાજ્ય સરકારના કર્મચારીઓ તથા નિવૃત્ત કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે 3 ટકાનો વધારો તારીખ 1 જુલાઈ, 2021 ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.

આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. સરકારે તારીખ 1 જુલાી, 2021 ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકા વધારાથી જે દસ મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે બે હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.

તદુપરાંત પ્રથમ હપ્તો મે-૨૦૨૨ના પગાર સાથે અને બીજો હપ્તો જૂન-૨૦૨૨ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા ૧૨૧૭.૪૪ કરોડનું નાણાકીય ભારણ વધશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news