ગઢડા BAPS મંદિરમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, ખુલ્યું અમેરિકા કનેક્શન

ગઢડા BAPS મંદિરમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો છે અને પ્રતાપસિંહ સિંધાની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો છે. મહેન્દ્રસિંહને અમેરીકા BAPS મંદિરમાં કામે મોકલવાના હતા, પરંતુ પ્રતાપસિંહ એ તેના દિકરાને અમેરીકા મોકલવાની ભલામણ કરતા જે મામલે મનદુઃખ થયું હતું.

ગઢડા BAPS મંદિરમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, ખુલ્યું અમેરિકા કનેક્શન

રઘુવીર મકવાણા/બોટાદ: ગઢડા BAPS મંદિર માંથી મળેલા મૃતદેહનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. અમેરીકા જવાની લાલચે ગઢડા BAPS મંદિરમાં સેવા પુજા કરનાર મહેન્દ્રસિંહ રાઠવાએ જ પ્રતાપસિંહ સિંધાની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. આ ઘટવામાં ભોગ બનનાર અને આરોપી બંને મંદિરમાં સેવા પૂજા કરતા હતા. પ્રાથમિક તપાસમાં અમેરિકા જવાની લાલચે હત્યા કરી હોવાની વિગત સામે આવી છે. 

ગઢડા BAPS મંદિરમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો છે અને પ્રતાપસિંહ સિંધાની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો છે. મહેન્દ્રસિંહને અમેરીકા BAPS મંદિરમાં કામે મોકલવાના હતા, પરંતુ પ્રતાપસિંહ એ તેના દિકરાને અમેરીકા મોકલવાની ભલામણ કરતા જે મામલે મનદુઃખ થયું હતું. મહેન્દ્રસિંહ રાઠવાએ આજે વહેલી સવારે મંદિરના નીચેના રૂમમાં પ્રતાપસિંહ સિંધાને લોખંડના પાઈપ મારી હત્યા કરી હતી. સમગ્ર મામલે ગઢડા BAPS મંદિરમાં ઉતારા વિભાગમાં કામ કરતા પ્રેમજીભાઈ ગોળકીયાએ મહેનદરસિહ રાઠવા વિરુદ્ધ  પોલીસ ફરિયાદ  નોધાવી હતી. પોલીસે મહેનદરસિહ રાઠવા વિરુદ્ધ કલમ 302, 135 મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગઢડા BAPS મંદિરમાંથી મૃતદેહ મળ્યા બાદ ભક્તો તથા મંદિર પ્રશાસનમાં શોકની લાગણી જોવા મળી રહી છે. મહત્વનું છે કે આજે તહેવાર હોવાથી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરંતુ આ દુઃખદ ઘટનાને પગલે તેઓએ પણ શોકની લાગણી વ્યક્ત કરી હતી. 

શું બની હતી સમગ્ર ઘટના?
ગુજરાતમાં સ્વામીનારાયણ મંદિરો હવે શંકાના ઘેરામાં આવી રહ્યાં છે. સ્વામીનારાયણ મંદિરોમાં મોતના સિલસિલા યથાવત જોવા મળ્યાં છે. ગઢડા BAPS સ્વામીનારાયણ મંદિરમાં સેવા પૂજા કરનાર શખ્સની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. BAPS મંદિરમાંથી મળી આવેલ શંકાસ્પદ મૃતદેહને લઈ મંદિરમાં પોલીસનો ધમધમાટ શરૂ થયો હતો. પોલીસનો મોટો કાફલો તપાસમાં જોડાયો હતો. સેવા પુજા કરનાર શખ્સ ની હત્યા થઈ હોય તેવી શંકાના મામલે પોલીસે તે દિશામાં હાલ તપાસ હાથ ધરી હતી. 

બોટાદ જિલ્લાના ગઢડા BAPS સ્વામીનારાયણ મંદિરમાંથી મંદિરમાં સેવા પુજા કરતા શખ્સનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા હડકંપ મચી ગયો હતો. પ્રતાપસિંહ સિંધા નામના પૂજા કરતા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રતાપિસંહ સિંધા BAPS મંદિરમાં સેવા પૂજાનું કામ કરે છે. આજે વહેલી સવારે ગઢડામા આવેલ BAPS સ્વામીનારાયણ મંદિરમાંથી મૃત હાલતમાં  મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જોકે, આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે બોટાદ પોલીસ તપાસમાં લાગી હતી. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા, DYSP, LCB, SOG સહિતનો મસમોટો પોલીસ કાફલો મંદિરમાં પહોંચ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો મેળવીને વધુ તપાસ હાથ ધરી હતી 

ગઢડા મા આવેલ BAPS સ્વામીનારાયણ મંદિરમાંથી આજે વહેલી સવારે મંદિરમાં સેવા પુજા કરતા પ્રતાપસિંહ સિંધા નામના શખ્સની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા મંદિર દ્વારા પોલીસને જાણ કરવામા આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને એલસીબી, એસઓજી, એફએસએલ દ્વારા આ શખ્સની હત્યા થઈ હોય તે દિશામાં હાલ પોલીસે તપાસ હાથ ધરી હતી. તેમ ડીવાયએસપીએ મીડિયાને પ્રાથમિક વિગત આપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news