ફરી એકવાર કાજલ હિંદુસ્તાનીએ તેજાબી ભાષણથી સૌને ચોંકાવ્યા, કહ્યું; ભાઈચારો માત્ર એક તરફી શા માટે?

કાજલ હિન્દુસ્થાનીએ ભાઈચારા પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ભાઈચારો માત્ર હિન્દુ સમાજ કેમ રાખે? જેહાદીઓ તરફથી ભાઈચારો કેમ નથી રાખવામાં આવ તો. તેવો વેધક સવાલ કર્યા હતા.

ફરી એકવાર કાજલ હિંદુસ્તાનીએ તેજાબી ભાષણથી સૌને ચોંકાવ્યા, કહ્યું; ભાઈચારો માત્ર એક તરફી શા માટે?

બુરહાન પઠાણ/આણંદ: શહેરમાં ટાઉનહોલ ખાતે આજે હિન્દૂ જાગૃતિ અભિયાન સમિતિનાં ઉપક્રમે જાહેર ધર્મસભા યોજાઈ હતી. જેમાં કાજલ હિન્દુસ્થાની દ્વારા ભાઈચારા પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે ભાઈચારો માત્ર એક તરફી શા માટે? તેમ કહી તેઓએ જેહાદીઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. 

આણંદ શહેરમાં ટાઉનહોલ ખાતે આયોજિત જાહેર હિન્દૂ સભામાં કાજલ હિન્દુસ્થાનીએ જેહાદીઓ અને લવ જેહાદ પર આકરા પ્રહારો કર્યા હતા. લેન્ડ જેહાદ પર આકરા પ્રહારો કર્યા હતા. કાજલ હિન્દુસ્થાનીએ ભાઈચારા પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ભાઈચારો માત્ર હિન્દુ સમાજ કેમ રાખે? જેહાદીઓ તરફથી ભાઈચારો કેમ નથી રાખવામાં આવ તો. તેવો વેધક સવાલ કર્યા હતા.

તેમણે વધુમાં કહ્યું હતું કે હિન્દૂ યુવતી સાથે મુસ્લિમ યુવક લગ્ન કરે તો વિરોધ પછી મુસ્લિમ યુવતી હિન્દૂ યુવાન સાથે લગ્ન કરે તો તેનો વિરોધ કેમ કરવામાં આવતો નથી. કાજલ હિન્દુસ્થાનીએ લેવ જેહાદ અને લવ જેહાદ જેવી ઘટનાઓ અટકાવવા માટે સરકાર દ્વારા કડક કાયદો ઘડવામાં આવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news