ગુજરાત સરકારે નવી જંત્રીનો ભાવ કર્યો જાહેર, જાણો મકાન, ઓફિસ અને દુકાનની જંત્રીના ભાવમાં કેટલો થયો વધારો

ગુજરાત સરકારે નવી જંત્રીનો ભાવ જાહેર કર્યો છે. ખેતી અને બિનખેતી જમીનની જંત્રીના દરોમાં 2 ગણો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે રહેણાંક મકાનોની જંત્રીના ભાવમાં 1.8 ગણો વધારો કરવામાં આવ્યો છે.

 ગુજરાત સરકારે નવી જંત્રીનો ભાવ કર્યો જાહેર, જાણો મકાન, ઓફિસ અને દુકાનની જંત્રીના ભાવમાં કેટલો થયો વધારો

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં નવી જંત્રીનો અમલ આગામી 15 એપ્રિલથી થવાનો છે. ત્યારે દસ્તાવેજો માટે લોકોમાં દોડ લાગતા વેઇટિંગ સાથે ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકારે નવી જંત્રીનો ભાવ જાહેર કર્યો છે. ખેતી અને બિનખેતી જમીનની જંત્રીના દરોમાં 2 ગણો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે રહેણાંક મકાનોની જંત્રીના ભાવમાં 1.8 ગણો વધારો કરવામાં આવ્યો છે. તેવી રીતે ઓફિસની જંત્રીના ભાવમાં 1.5 ગણો વધારો કરાયો છે અને દુકાનની જંત્રીના ભાવમાં 2 ગણો વધારો કરાયો છે.

રાજય સરકાર ધ્વારા 15/04/2023થી અમલી થનારા જંત્રી ભાવ

ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ૩ર-કના અસરકારક અમલ માટે રાજયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ર૦૧૧ના ભાવોમાં વધારો કરવાનો નિર્ણય તા.૧૫/૦૪/૨૦૨૩થી અમલમાં મુકવાનું ઠરાવેલ હતું. હવે રાજ્ય સરકાર દ્વારા  તા.૧૫/૦૪/૨૦૨૩થી જંત્રીના ભાવો નીચે મુજબ અમલમાં મૂકવામાં આવશે.

(૧) રાજયમાં જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ)-૨૦૧૧માં તા. ૦૪/૨/૨૦૨૩થી ખેતી તથા બિનખેતીની જમીનના દરો બે ગણા કરવામાં આવેલ તથા તેનો અમલ તા.૧૫/૦૪/૨૦૨૩થી કરવાનુ અગાઉ તા. ૧૧/૨/૨૦૨૩ના ઠરાવથી ઠરાવેલ. 

(ર)  આ દરોમાં.. 
(ક) ખેતી તથા બિનખેતીના જમીનના દરો બે ગણા યથાવત રાખવાનુ 
(ખ) જયારે Composite rate (જમીન + બાંધકામના સંયુકત દર) માં રહેણાંકના દર બે ગણાના બદલે ૧.૮ ગણા કરવાનું, ઓફીસના ભાવ બે ગણાના બદલે ૧.૫ ગણા (દોઢા) કરવાનું,  તથા દુકાનના ભાવ બે ગણા યથાવત રાખવાનુ તેમજ 
(ગ) જંત્રી બાબતે ઇસ્યુ થયેલ તા. ૧૮/૪/૨૦૧૧ની  ગાઈડ લાઇન મુજબ જુદા જુદા પ્રકારના બાંધકામ માટે નકકી થયેલ દરો તા. ૪/૨/૨૩થી બે ગણા કરેલ તેના બદલે હવે તા. ૧૫/૪/૨૦૨૩થી આ દર ૧.૫ ગણા (દોઢા) કરવાનું આથી ઠરાવવામાં આવે છે. 

(૩) પ્રિમિયમના દરમાં ઘટાડો કરવા બાબત
➢    ખેતીથી - ખેતી ૨૫% ના બદલે ૨૦% પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે.
➢    ખેતીથી – બિનખેતી ૪૦% ને બદલે ૩૦% પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે.

 પેઈડ એફ.એસ.આઈ. માટે નીચેના નિર્ણયો લેવામાં આવ્યા 

  • (૪) પ્લાન પાસીંગની પ્રક્રીયામાં સ્ક્રુટીની ફી ભરેલ હોય તેવા કીસ્સામાં જુની જંત્રી મુજબ પેઈડ એફ.એસ.આઇ. વસુલવામાં આવશે. 

  • (૫) જે કીસ્સાઓમાં પ્લાન પાસ થયેલ હોય અને એફ.એસ.આઈ. ના પેમેન્ટના હપ્તા ચાલુ હોય તેવા કીસ્સામાં નવી જંત્રીની અસર પેઈડ એફ.એસ.આઈ.માં લાગુ પાડવામાં નહીં આવે. 

  • (૬) જે કિસ્સાઓમાં ટી.ડી.આર.નો ઉપયોગ કરવામાં આવે તેવા પ્રકરણોમાં જુની જંત્રી અનુસાર જે તે સમયે દર્શાવવામાં આવેલ દરથી રકમ વસુલવામાં આવશે. 

  • (૭) પેઈડ એફ.એસ.આઈ. માટે નીચેના કોષ્ટકમાં જણાવેલ ઝોનમાં નવી જંત્રી અનુસાર વસુલવા પાત્ર રકમ જંત્રીના ટકાવારી અનુસાર દર્શાવ્યા પ્રમાણે વસુલવામાં આવશે. 

  •  

    સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

    Trending news