મહેમદાવાદ: આઇસર અને રીક્ષા વચ્ચે ગમ્ખવાર અકસ્માત, 4 લોકોના ઘટના સ્થળે મોત

મહેમદાવાદના હળદરવાસ નજીક ઇંટો ભરેલ આઇસરે રીક્ષાને ટક્કર(Accident) મારતા 4 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ છે. રીક્ષામાં સવાર બે મહિલાઓ અને રીક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. 

મહેમદાવાદ: આઇસર અને રીક્ષા વચ્ચે ગમ્ખવાર અકસ્માત, 4 લોકોના ઘટના સ્થળે મોત

યોગીન દરજી/ખેડા: મહેમદાવાદના હળદરવાસ નજીક ઇંટો ભરેલ આઇસરે રીક્ષાને ટક્કર(Accident) મારતા 4 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ છે. રીક્ષામાં સવાર બે મહિલાઓ અને રીક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ઘાયલ થયેલા અન્ય બે વ્યક્તિઓને મહેમદાવાદ સીએચસી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

મળતી માહિતી અનુસાર ઇંટો ભરેલી આઇસરના ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમવાતા રીક્ષાને અડફેટે લેતા ગંભીર અકસ્મતા સર્જાયો હતો. અક્સાતનો ભોગ બનેલા તમામ મહેમદાવાદના પઠાવત ગામના રહીશો હોવાનું જાણવા મળી રહ્યું છે. રીક્ષામાં સવાર થઇને પઠાવત ગામથી હળદરવાસ તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન ભોગ બન્યા હતા.

10 રૂપિયા પડી ગયાનું કહી બેંકમાં રૂપિયા ભરવા આવેલી ગાડીમાંથી 20 લાખની ચોરી

ગમ્ખવાર અકસ્મતા સર્જાતા રોડ પર મોટી સંખ્યામાં ટ્રાફિક જામ થયો હતો. ત્યારે આજુબાજુના વિસ્તારના રહીશોનો ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા. મહેમદાવાદ પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક દૂર કરવાની પ્રક્રિયા કરી હતી. અને આઇસર ચાલકને વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news