Coronaupdate: રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોના કેસ 600ને પાર, 20ના મોત; 422 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં આજ રોજ 620 નવા દર્દી નોંધાયા છે. જેમાં 619 દર્દી રાજ્યના વિવિધ જિલ્લાઓ અને 1 દર્દી અન્ય રાજ્યનો નોંધાયો છે. જ્યારે 422 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,73,663 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 20 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન- 9, સુરત કોર્પોરેશન- 4, વડોદરા કોર્પોરેશન- 2, ગાંધીનગર- 2, જુનાગઢ કોર્પોરેશન- 1, પાટણ- 1 અને નવસારીમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.
Coronaupdate: રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોના કેસ 600ને પાર, 20ના મોત; 422 દર્દીઓ થયા સાજા

ગાંધીનગર: રાજ્યમાં આજ રોજ 620 નવા દર્દી નોંધાયા છે. જેમાં 619 દર્દી રાજ્યના વિવિધ જિલ્લાઓ અને 1 દર્દી અન્ય રાજ્યનો નોંધાયો છે. જ્યારે 422 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,73,663 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 20 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન- 9, સુરત કોર્પોરેશન- 4, વડોદરા કોર્પોરેશન- 2, ગાંધીનગર- 2, જુનાગઢ કોર્પોરેશન- 1, પાટણ- 1 અને નવસારીમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,47,783 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,44,370 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 3,413 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

આજના રાજ્યમાં કુલ 620 નવા કેસ નોંધાયા છે જ્યારે 422 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 182 નવા કેસ અને 120 ડીસ્ચાર્જ, સુરત કોર્પોરેશનમાં 183 નવા કેસ અને 147 ડીસ્ચાર્જ, વડોદરા કોર્પોરેશનમાં 50 નવા કેસ અને 29 ડીસ્ચાર્જ, વલસાડમાં 20 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, સુરતમાં 16 નવા કેસ અને 10 ડીસ્ચાર્જ, જામનગર કોર્પોરેશનમાં 15 નવા કેસ અને 13 ડીસ્ચાર્જ, અમદાવાદમાં 15 નવા કેસ અને 17 ડીસ્ચાર્જ, આણંદમાં 14 નવા કેસ અને 6 ડિસ્ચાર્જ, ગાંધીનગરમાં 13 નવા કેસ અને 20 ડિસ્ચાર્જ, પાટણમાં 11 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, કચ્છમાં 9 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, ભરૂચમાં 8 નવા કેસ અને 2 ડિસ્ચાર્જ, મહેસાણામાં 7 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, જૂનાગઢ કોર્પોરેશનમાં 6 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, ખેડામાં 6 નવા કેસ અને 6 ડિસ્ચાર્જ, ભાવનગર કોર્પોરેશનમાં 5 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત રાજકોટ કોર્પોરેશનમાં 5 નવા કેસ અને 3 ડીસ્ચાર્જ, અરવલ્લીમાં 5 નવા કેસ અને 4 ડિસ્ચાર્જ, પંચમહાલમાં 5 નવા કેસ અને 1 ડીસ્ચાર્જ, સાબરકાંઠામાં 4 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, બોટાદમાં 4 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, સુરેન્દ્રનગરમાં 4 નવા કેસ અને 1 ડિસ્ચાર્જ, ગાંધીનગર કોર્પોરેશનમાં 3 નવા કેસ અને 1 ડિસ્ચાર્જ, ભાવનગરમાં 3 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, ગીર સોમનાથમાં 3 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, પોરબંદરમાં 3 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, અમરેલીમાં 3 નવા કેસ અને 1 ડિસ્ચાર્જ, વડોદરામાં 2 નવા કેસ અને 25 ડિસ્ચાર્જ, મહિસાગરમાં 2 નવા કેસ અને 1 ડિસ્ચાર્જ, જૂનાગઢમાં 2 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, નવસારીમાં 2 નવા કેસ અને 3 ડિસ્ચાર્જ, મોરબીમાં 2 નવા કેસ અને 1 ડિસ્ચાર્જ, બનાસકાંઠામાં 1 નવો કેસ અને 2 ડિસ્ચાર્જ, રાજકોટમાં 1 નવો કેસ અને 0 ડિસ્ચાર્જ, નર્મદામાં 1 નવો કેસ અને 7 ડિસ્ચાર્જ, દેવભૂમી દ્વારકામાં 1 નવો કેસ અને 0 ડિસ્ચાર્જ, દાહોદમાં 0 નવો કેસ અને 2 ડિસ્ચાર્જ અને અન્ય રાજ્ય 1 નવો કેસ અને 0 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસ 6,929 છે. જેમાં વેન્ટીલેટર પર 71 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ 6857 દર્દીઓ છે. જ્યારે 23,670 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો કુલ મૃત્યુઆંક 1848 પર પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news