તાલાલાની સવાર ભૂકંપથી થઈ, વહેલી સવારે 4 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

તાલાલાની સવાર ભૂકંપથી થઈ, વહેલી સવારે 4 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
  • તલાલાથી ઉત્તર-પૂર્વ ૧૩ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું
  • તલાલાનાં ધાવા ગીર સહિતના ગામોની અંદર ભૂકંપની સૌથી વધારે અસર અનુભવાઇ

ગીર સોમનાથ :તાલાલા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે 6 વાગ્યે અને 58 મિનિટે તાલાલાની ધરતીમાં ધ્રુજારી થઈ હતી. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ અનુસાર 4.0 રિક્ટર સ્કેલ પર ભૂકંપ નોંધાયો છે. ભૂકંપના આંચકાથી ભરઊંઘમાં રહેલા લોકો સફાળા જાગ્યા હતા, અને ઘરની બહાર દોડી આવ્યા હતા. 

ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપના આંચકા સામાન્ય છે. ત્યારે વધુ એકવાર તલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે સવારે તાલાલામાં 4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તાલાલાથી 13 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ હતં. તાલાલાનાં ધાવા ગીર સહિતના ગામોની અંદર ભૂકંપની સૌથી વધારે અસર અનુભવાઇ છે. તલાલાની સાથે જૂનાગઢના દેવળિયામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 

સવારે 6.55 વાગ્યા આસપાસ આવેલા ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, નુકસાન થયું હોવાના હજુ સુધી કોઈ સમાચાર નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news