Surekha Sikri Dies: બાલિકાવધુના 'દાદીસા' સુરેખા સિકરીએ દુનિયાને કરી અલવિદા

બોલીવુડથી લઈને ટીવી જગત સુધી પોતાનો સિક્કો જમાવનારા દિગ્ગજ અભિનેત્રી સુરેખા સિકરી(Surekha Sikri) નું નિધન થયું છે. મળતી માહિતી મુજબ 75 વર્ષની વયે સુરેખા સિકરીએ કાર્ડિયાક અરેસ્ટના કારણે છેલ્લા શ્વાસ લીધા. આ ખબર બાદ ટીવી અને બોલીવુડ જગતમાં શોકની લહેર છે. 

Surekha Sikri Dies: બાલિકાવધુના 'દાદીસા' સુરેખા સિકરીએ દુનિયાને કરી અલવિદા

નવી દિલ્હી: બોલીવુડથી લઈને ટીવી જગત સુધી પોતાનો સિક્કો જમાવનારા દિગ્ગજ અભિનેત્રી સુરેખા સિકરી(Surekha Sikri) નું નિધન થયું છે. મળતી માહિતી મુજબ 75 વર્ષની વયે સુરેખા સિકરીએ કાર્ડિયાક અરેસ્ટના કારણે છેલ્લા શ્વાસ લીધા. આ ખબર બાદ ટીવી અને બોલીવુડ જગતમાં શોકની લહેર છે. 

નેશનલ ફિલ્મ પુરસ્કાર વિજેતા
અત્રે જણાવવાનું કે અનેક વર્ષો સુધી બોલીવુડમાં કામ કર્યા બાદ સુરેખા સિકરીએ જ્યારે ટીવીમાં ઝંપ લાવ્યું તો તેમણે બધાને પાછળ છોડી દીધા. તેમણે લોકપ્રિય સિરીયલ બાલિકાવધુના દાદીસાની ભૂમિકામાં જીવ રેડી દીધો હતો. આજે પણ તેઓ આ ભૂમિકાના કારણે લોકપ્રિય છે. તેમણે 3 વર્ષ પહેલા આયુષ્યમાન ખુરાનાની સુપરહિટ ફિલ્મ બધાઈ હોમાં દાદીની ભૂમિકા ભજવી હતી. તેમણે નેશનલ પુરસ્કાર પણ જીત્યો હતો. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 16, 2021

મેનેજરે કરી પુષ્ટિ
સુરેખા સિકરીના નિધનની જાણકારી તેમના મેનેજરે આપી છે. મેનેજરે મીડિયાને  જાણકારી આપી છે કે દુખનો વિષય છે કે સુરેખાજી આ દુનિયામાં નથી. 75 વર્ષની ઉંમરે આજે સવારે તેમનું દેહાંત થયું. બીજા બ્રેઈન સ્ટ્રોક બાદ તેઓ ખુબ પરેશાન હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news