પિતા શત્રુઘ્નના પક્ષપલટા વિશે સોનાક્ષીએ આપી દીધું મોટું નિવેદન 

બોલિવૂડની દબંગ ગર્લ સોનાક્ષી સિંહા હાલમાં પોતાની આગામી ફિલ્મ કલંકને કારણે ચર્ચામાં છે. હાલમાં સોનાક્ષીના પિતા શત્રુઘ્ન પોતાના રાજકીય નિર્ણયને કારણે ચર્ચામાં છે. શત્રુઘ્ને હાલમાં ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડીને કોંગ્રેસના સભ્ય બનવાનું પસંદ કર્યું છે. સામાન્ય રીતે સોનાક્ષી જાહેરમાં પિતાના કામ વિશે કોઈ કમેન્ટ નથી કરતી પણ આ નિર્ણય વિશે ખુલીને વાત કરી છે. 

પિતા શત્રુઘ્નના પક્ષપલટા વિશે સોનાક્ષીએ આપી દીધું મોટું નિવેદન 

મુંબઈ : બોલિવૂડની દબંગ ગર્લ સોનાક્ષી સિંહા હાલમાં પોતાની આગામી ફિલ્મ કલંકને કારણે ચર્ચામાં છે. હાલમાં સોનાક્ષીના પિતા શત્રુઘ્ન પોતાના રાજકીય નિર્ણયને કારણે ચર્ચામાં છે. શત્રુઘ્ને હાલમાં ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડીને કોંગ્રેસના સભ્ય બનવાનું પસંદ કર્યું છે. સામાન્ય રીતે સોનાક્ષી જાહેરમાં પિતાના કામ વિશે કોઈ કમેન્ટ નથી કરતી પણ આ નિર્ણય વિશે ખુલીને વાત કરી છે. 

બીજેપીને છોડીને કોંગ્રેસનો સાથ પસંદ કરવાના શત્રુઘ્નના નિર્ણય વિશે સોનાક્ષીએ કહ્યું છે કે 'તેમની મરજી પ્રમાણે તેમણે નિર્ણય લીધો છે. મને આશા છે કે કોંગ્રેસ તેમની સક્ષમતાનો લાભ લેશે. તેમના મનમાં આજે પણ અટલજીા અને અડવાણીજી માટે બહુ માન છે પણ બીજા લોકોએ તેમને એક સિનિયર નેતા તરીકે માન નથી આપ્યું. તેમણે આ નિર્ણય લેવામાં બહુ વાર કરી દીધી. તેમણે આ નિર્ણય પહેલાં જ લેવાની જરૂર હતી.'

કામની વાત કરીએ તો સોનાક્ષી બહુ જલ્દી મલ્ટીસ્ટારર ફિલ્મ કલંકમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપૂર છે. આ ફિલ્મમાં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિત અને સોનાક્ષી સિંહા જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news