Raha Kapoor ના નામે વિલ બનાવવા રણબીરની સીએ સાથે થઈ ચર્ચા, એક્ટરે ખુદ કર્યો ખુલાસો

Alia Bhatt Ranbir Kapoor: રણબીર કપૂર એપ્રિલ મહિનામાં પોતાની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા અને નવેમ્બરમાં કપલના ઘરે દીકરી રાહા કપૂરનો જન્મ થયો. રણવીર અને આલિયા હવે પોતાની દીકરીના કારણે ચર્ચામાં રહે છે. 

Raha Kapoor ના નામે વિલ બનાવવા રણબીરની સીએ સાથે થઈ ચર્ચા, એક્ટરે ખુદ કર્યો ખુલાસો

Alia Bhatt Ranbir Kapoor: રણબીર કપૂર માટે વર્ષ 2022 ખૂબ જ ખાસ રહ્યો. ખાસ કરીને તેના અંગત જીવન માટે આ વર્ષ યાદગાર રહ્યું. રણબીર કપૂર એપ્રિલ મહિનામાં પોતાની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા અને નવેમ્બરમાં કપલના ઘરે દીકરી રાહા કપૂરનો જન્મ થયો. રણવીર અને આલિયા હવે પોતાની દીકરીના કારણે ચર્ચામાં રહે છે. દીકરીનો જન્મ પછી રણબીર કપૂરની આગામી ફિલ્મ તું જુઠી મેં મક્કાર ટૂંક સમયમાં રિલીઝ થશે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા રણબીર કપૂર એ પોતાની દીકરી વિશે ઘણી બધી વાતો કરી હતી. જોકે આ ચર્ચામાં તેણે પોતાની દીકરી માટેની વિલ વિશે પણ ખુલાસો કર્યો હતો.

આ પણ વાંચો:

રાહા કપુર ચાર મહિનાની થશે પરંતુ આજ સુધી મીડિયા સામે તેની એક પણ તસવીર આવી નથી. પરંતુ જ્યારે આલિયા ભટ્ટ પ્રેગનેટ થતી ત્યાર રણબીર કપૂરના સીએ તેની પાસે આવ્યા હતા અને આવનાર બાળકના નામ પર વિલ બનાવવાનું કહ્યું હતું.

રણબીર કપૂર એ મીડિયા સાથે વાતચીત કરતી વખતે જણાવ્યું કે જ્યારે સીએએ આવીને તેમની સાથે આ વિષય એ વાત કરી તો તે ડરી ગયા હતા. વાત સાંભળીને તેને એવું લાગ્યું કે જાણે તે મરવા જઈ રહ્યો છે. ત્યાર પછી રણબીરે વિલ બનાવી નહીં. કારણ કે રણબીરે નક્કી કર્યું કે તે આ બધી બાબતો વિશે વિચારવા નથી માંગતો અને પોતાની દીકરી સાથે દરેક દિવસને યાદગાર બનાવીને જીવવા ઈચ્છે છે. આવનાર દિવસો વિશે વિચારીને તે આજને ખરાબ કરવા ઈચ્છતો નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news