Sushant suicide case: મુંબઇ પોલીસને મળી Vicera રિપોર્ટ, સામે આવી આ જાણકારી

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે Vicera રિપોર્ટ મુંબઇ પોલીસને મળી ગઇ છે. કલીના ફોરેન્સિક લેબથી આવેલા આ રિપોર્ટમાં કોઇપણ પ્રકારનું foulplayની સંભાવનાથી ઇનકાર કર્યો છે. આ મામલે હજુ Stomach wash અને નખના સેમ્પલ્સનો રિપોર્ટ આવવાનો બાકી છે.
Sushant suicide case: મુંબઇ પોલીસને મળી Vicera રિપોર્ટ, સામે આવી આ જાણકારી

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે Vicera રિપોર્ટ મુંબઇ પોલીસને મળી ગઇ છે. કલીના ફોરેન્સિક લેબથી આવેલા આ રિપોર્ટમાં કોઇપણ પ્રકારનું foulplayની સંભાવનાથી ઇનકાર કર્યો છે. આ મામલે હજુ Stomach wash અને નખના સેમ્પલ્સનો રિપોર્ટ આવવાનો બાકી છે.

પોલીસ નખના ફોરેન્સિક રિપોર્ટનો ઇન્તેજાર કરી રહ્યાં છે જેથી કોઇપણ પ્રકારના સ્ટ્રગલ માર્ક્સની પુષ્ટિ થઇ શકે.

ZEE NEWSએ 13 જુલાઇના જ એક્સક્લુસિવ સમાચાર જણાવ્યા હતા કે 11 જુલાઇના આ કેસથી જોડાયેલા કેટલાક ટોચના અધિકારીઓએ ફોરેન્સિક ટીમથી જોડાયેલા પાંચ અધિકારીઓથી અલગ અલગ મુલાકાત કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યું હતું કે, આવાનાર 15થી 20 દિવસમાં ફોરેન્સિક તપાસની રિપોર્ટ મુંબઇ પોલીસને સોંપવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં જો કોઇ જરૂરત થશે તો કેટલાક બાકી લોકો છે, જેમનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવી શકે છે અને 15થી 20 દિવસમાં પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે.

અત્યાર સુધીમાં આ મામલે કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને સોમનવારના મહેશ ભટ્ટનું સ્ટેટમેન્ટ બાદ મંગળારના ધર્મા પ્રોડક્શનના સીઇઓ અપૂર્વથી પૂછપરછ કરવામાં આવશે.

આ બધામાં સૌથી મહત્વપૂર્ણ છે કે પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર ફોરેન્સિક ટીમ સાથે મુલાકાત બાદ આ મામલે કોઇ જાણકારી મળી નથી કે જેને "સનસનાટીભર્યા" કહી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news