હવે કંગનાના ઝપાટે ચડ્યો રણબીર કપૂર, ઝાટકણી કાઢતા કહ્યું કે...

એક્ટ્રેસ કંગના રનૌતે હાલમાં તેની રિલીઝ થયેલી ફિલ્મ Manikarnika: The Queen of Jhansiની સફળતાની પાર્ટી આપી હતી. 

હવે કંગનાના ઝપાટે ચડ્યો રણબીર કપૂર, ઝાટકણી કાઢતા કહ્યું કે...

મુંબઈ : એક્ટ્રેસ કંગના રનૌતે હાલમાં તેની રિલીઝ થયેલી ફિલ્મ Manikarnika: The Queen of Jhansiની સફળતાની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં મીડિયા સાથે વાત કરતી વખતે કંગનાએ બોલિવૂડના ટોચના કપૂરપરિવારના રણબીર કપૂરના અભિગમની આકરી ટીકા કરીને તેની ઝાટકણી કાઢી હતી. 

A post shared by Manav Manglani (@manav.manglani) on

હકીકતમાં રણબીરે એક ઇન્ટરવ્યૂમાં પોતાના રાજકારણમાં પ્રવેશ વિશે જવાબ આપ્યો હતો કે મારા ઘરમાં વીજળી છે, પાણી છે...તો પછી મારે રાજકારણમાં જવાની શું જરૂર? રણબીરના આ નિવેદનની ઝાટકણી કાઢતા કંગનાએ કહ્યું છે કે આ બહુ દુખદાયક છે કે જે દેશે તેમને સ્ટાર સ્ટેટસ અને બીજું ઘણું આપ્યું છે એના માટે રણબીરના દિલમાં જરા જેટલી પણ દરકાર નથી. 

કંગનાની ફિલ્મોની વાત કરીએ તો એ હવે મેન્ટલ હૈ ક્યામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું ડિરેક્શન પ્રકાશ કોવલમુંડી કરી રહ્યા છે જ્યારે પ્રોડક્શનની જવાબદારી એકતા કપૂરની બાલાજી મોશન પિક્ચર્સ સંભાળી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news