Kangana Ranaut: કંગનાએ ફરી પોતાની પોસ્ટથી મચાવ્યો ખળભળાટ, રણબીરને કહ્યો દુર્યોધન, કરણ જોહરને શકુની મામા...

Kangana Ranaut: થોડા સમય પહેલા ખબર સામે આવી હતી કે નિતેશ તિવારી રામાયણ પર આધારિત ફિલ્મ બનાવશે. હવે આ વાત બોલીવુડની કોન્ટ્રોવર્સી ક્વીન ગણાતી કંગના રનૌતના કાને પહોંચી છે અને તેના પર કંગના એક પછી એક વિવાદાસ્પદ પોસ્ટ કરી રહી છે. કંગનાએ નામ લીધા વિના રણબીરને સફેદ ઉંદર કહી દીધો હતો ત્યારે હવે ફરીથી કંગનાએ રણબીર અને કરન જોહરને આડેહાથ લીધા છે. 

Kangana Ranaut: કંગનાએ ફરી પોતાની પોસ્ટથી મચાવ્યો ખળભળાટ,  રણબીરને કહ્યો દુર્યોધન, કરણ જોહરને શકુની મામા...

Kangana Ranaut: થોડા સમય પહેલા ખબર સામે આવી હતી કે નિતેશ તિવારી રામાયણ પર આધારિત ફિલ્મ બનાવશે. હવે આ વાત બોલીવુડની કોન્ટ્રોવર્સી ક્વીન ગણાતી કંગના રનૌતના કાને પહોંચી છે અને તેના પર કંગના એક પછી એક વિવાદાસ્પદ પોસ્ટ કરી રહી છે. કંગનાએ નામ લીધા વિના રણબીરને સફેદ ઉંદર કહી દીધો હતો ત્યારે હવે ફરીથી કંગનાએ રણબીર અને કરન જોહરને આડેહાથ લીધા છે. 

આ પણ વાંચો:

કંગના રનૌતે કેટલીક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે બોલીવુડના કલાકારોના નામ લીધા વિના તેમના નામની હિંટ આપી છે. આ પોસ્ટમાં કંગનાએ રણબીર કપૂર અને કરણ જોહર માટે વિવાદાસ્પદ નિવેદન આપી દીધું છે. કંગનાએ રણબીરને દુર્યોધન અને કરન જોહરને શકુની મામા હોવાનું કહી દીધું છે. તેણે કહ્યું હતું કે આ બંને તેમના વિશે અફવા ફેલાવે છે. સાથે જે તેણે સુશાંત સિંહ રાજપૂતને લઈને પણ બંને પર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે આ બંનેના કારણે જ સુશાંતને લઈને પણ ખોટી ખબરો ફેલાઈ હતી.

કંગનાએ એમ પણ કહ્યું હતું કે જ્યારે ઋત્વિક સાથે વિવાદ થયો હતો ત્યારે આ બંને લોકો રેફરી હતી. કંગનાએ એમ પણ લખ્યું હતું કે તેની પાસે પાવર આવશે તો તે લોકોને જણાવશે કે કેવી રીતે આ લોકો ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલા છે. 

કંગનાએ રણબીરને લઈને કહ્યું હતું કે પહેલા તે શિવ બનશે તેવી વાત હતી. પરંતુ તેની ફિલ્મ કોઈએ જોઈ નહીં. હવે તેના રામ બનવાની વાત છે. હકીકતમાં તેને રાવણ હોવું જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news