'બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી'નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, દરેક સીન આપી રહ્યો છે નક્સલિઓના આતંકનો પુરાવો

આવતા સપ્તાહે વિપુલ શાહની અદા શર્મા સ્ટારર ફિલ્મ બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી રિલીઝ થવાની છે. ફિલ્મ રિલીઝ પહેલા મેકર્સે તેનું દમદાર ટ્રેલર રિલીઝ કર્યું છે. જેને જોઈને લોકોના રૂવાંડા ઉભા થઈ જશે. 

'બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી'નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, દરેક સીન આપી રહ્યો છે નક્સલિઓના આતંકનો પુરાવો

નવી દિલ્હીઃ પાછલા વર્ષે ફિલ્મ મેકર વિપુલ અમૃતલાલ શાહની અદા શર્મા સ્ટારર ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. હવે આ જોડી ફરી દેશનો મોટો મુદ્દો લઈને દર્શકોની સામે આવી રહી છે. ફિલ્મમાં નક્સલિઓ દ્વારા સામાન્ય નાગરિકોની સાથે કરવામાં આવેલા અત્યાચારોની કહાની દેખાડવામાં આવશે. ફિલ્મ પોતાના પાછલા ટીઝરને લઈને ચર્ચામાં છે. આ વચ્ચે મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. તે સંકોચ વગર પ્રેક્ષકોની જિજ્ઞાસાને આગલા સ્તર પર લઈ જાય છે. ફિલ્મમાં મેકર્સે જે હચમચાવતા સત્યને અનલિફ્ટર્ડ તરીકે દર્શાવ્યું છે, તેને મોટા પડદા પર જોવા માટે દર્શક ઉત્સુક છે.

ત્રિપુટી ફરી કરશે ધમાકો
એક વસ્તુ જે આ ફિલ્મને વધુ ઉત્સાહથી ભરપૂર બનાવે છે, તે વિપુલ શાહ, સુદીપ્તો સેન અને અદા શર્માની દમદાર ત્રિપુટી. આ ત્રિપુતી એક હચમચાવતી કહાની લઈને તૈયાર છે, જે નક્સલી અને ભારત વચ્ચેની લડાઈને દર્શાવે છે. તેવામાં મેકર્સે હવે દમદાર ટ્રેલર રિલીઝ કર્યું છે, તમે પણ જુઓ...

જાણો નક્સલિઓની હકીકત
મેકર્સે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક દમદાર ટ્રેલર રિલીઝ કર્યું છે, જેમાં આપણે અદા શર્માને પોતાની ટીમની સાથે નક્સલિઓ વિરુદ્ધ લડતી જોઈ શકીએ છીએ. અભિનેત્રીને પ્રોમોટમાં નક્સલી મુક્ત ભારત બનાવવાનો પ્રયાસ કરતી દેખાડવામાં આવી છે. આ સાથે મેકર્સે કેપ્શનમાં લખ્યું છે- 'તેના મદદ કરવાના ઇનકાર કરવાને પરિણામસ્વરૂપ બસ્તરમાં હજારો માસૂમ લોકોના જીવ જતા રહ્યાં... બસ્તરઃ ધ નક્સલ સ્ટોરીમાં નક્સલિઓ અને તેના સમર્થકોની હરકત જુઓ અને #NaxalFreeBharat માટે અમારી સાથે જોડાવો.' ફિલ્મ 15 માર્ચ 2024ના રિલીઝ થશે. 

આઈપીએસ નીરજા માથુરની ભૂમિકામાં અદા
આ ટ્રેલર ખરેખર રસપ્રદ છે અને એક ઝલકગ આપે છે કે સિસ્ટમની ક્રૂર હકીકતની જે નક્સલિઓ વિરુદ્ધ લડાઈમાં મદદ કરવાની ના પાડે છે, જે હજારો લોકોના મોતનું કારણ બને છે. બહાદુરીથી ઊભી થઈ, અદા શર્મા આઈપીએસ નીરજા માથુરના રૂપમાં પોતાના સૈનિકોની સાથે નક્સલિઓને ફસાવવા માટે તૈયાર છે. આ એક ઝલકે ફિલ્મને લઈ દર્શકોનો ઉત્સાહ વધારી દીધો છે. 

વિપુલ અમૃતલાલ શાહની સનશાઇન પિક્ચર્સ દ્વારા નિર્મિત અને આશિન એ શાહ દ્વારા સહ-નિર્મિત, બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી, સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત છે અને તેમાં અદા શર્મા મુખ્ય ભૂમિકામાં હશે. આ ફિલ્મ 15 માર્ચ 2024ના વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news