Video : અર્જુનની હાલત થઈ સાપે છછુંદર ગળ્યા જેવી જ્યારે કરણે પૂછ્યો એક સવાલ

કરણ જોહરના આગામી એપિસોડમાં અર્જુન કપૂર અને જાન્હવી કપૂર એકસાથે હાજરી આપવાના છે

Video : અર્જુનની હાલત થઈ સાપે છછુંદર ગળ્યા જેવી જ્યારે કરણે પૂછ્યો એક સવાલ

નવી દિલ્હી : કરણ જોહરના લોકપ્રિય શો 'Koffee With Karan'ની સિઝન 6 21 ઓક્ટોબર, 2018થી શરૂ થઈ છે. આ શોમાં અત્યાર સુધી અનેક સેલિબ્રિટીઓ દેખાઈ છે. આ શોના આગામી એપિસોડમાં એક્ટર અર્જુન કપૂર તેની સાવકી બહેન જાન્હવી કપૂર સાથે હાજરી આપવાનો છે. આ શોમાં એક તબક્કે કરણ જોહરે અર્જુનને તેના અંગત જીવનને લગતો વિવાદાસ્પદ સવાલ કરી લીધો હતો જેના કારણે તે બરાબર ફસાઈ ગયો હતો અને એક શબ્દ પણ બોલી શક્યો નહોતો. 

— Star World (@StarWorldIndia) November 18, 2018

હકીકતમાં અર્જુન કપૂર અને મલાઇકા અરોરા જ્યારથી લેકમે ફેશન વિકમાં એકસાથે જોવા મળ્યા છે ત્યારથી તેમની રિલેશનશીપ ચર્ચાસ્પદ બની છે. હાલમાં તો એવા સમાચાર આવ્યા હતા કે આ પ્રેમી જોડી લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહી છે. જોકે હવે ખબર પડી છે કે આ વાત ખોટી છે. હાલમાં ડીએનએમાં આવેલા સમાચાર પ્રમાણે હાલમાં અર્જુન અને મલાઇકા એકબીજા સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે પણ બંનેનું હાલમાં લગ્ન કરવાનું કોઈ પ્લાનિંગ નથી. આ મામલે અર્જુનની નજીકની એક વ્યક્તિએ માહિતી આપી છે કે અર્જુન પોતાની બહેન અંશુલાના લગ્ન પછી જ પોતાના લગ્ન વશે વિચારશે. મલાઇકા અને અર્જુન હાલમાં પોતાનો સમય એન્જોય કરી રહ્યા છે. હાલમાં અર્જુન પાસે ઘણી ફિલ્મોની તેમજ મલાઇકા પાસે ટીવી શોની ઓફર છે. આ સંજોગોમાં હજી તેઓ એકબીજાને ઓળખવા માગે છે. 

આ શોથી જાન્હવી ટીવી પર ડેબ્યુ કરી રહી છે અને અર્જુન કપૂર તેનો જોડીદાર બન્યો છે. રિપોર્ટ પ્રમાણે જહાન્વી અને અર્જુન સિવાય ન્યુલી મેરીડ કપલ પણ આ શોમાં જોવા મળશે. તેમાં વિરાટ કોહલી-અનુષ્કા શર્મા અને સોનમ કપૂર-આનંદ આહુજા શામેલ છે. આ ઉપરાંત કરણના શોમાં સ્ટારકિડ્સ પણ જોવા મળી શકે છે. આ લિસ્ટમાં સુહાના ખાન, અહાન પાંડે, અનન્યા પાંડેના નામ શામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news