Anupama શોમાં બદલાઈ જશે કાવ્યા, મદાલસા શર્માએ પણ છોડી દીધી સીરિયલ, જાણો શું છે કારણ

Anupama: અનુપમા સીરિયલને પણ એક પછી એક કલાકારો અલવિદા કહેવા લાગ્યા છે. સીરિયલના ઘણા પાત્રોના ચહેરા બદલી ચુક્યા છે અને હવે તેમાં વધુ એક પાત્ર ઉમેરાયું છે. ટુંક સમયમાં કાવ્યાના પાત્રમાં પણ નવી અદાકારા જોવા મળશે. કારણ કે કાવ્યાનું પાત્ર ભજવતી અભિનેત્રી મદાલસા શર્માએ અનુપમા સીરિયલ છોડી દીધી છે.

Anupama શોમાં બદલાઈ જશે કાવ્યા, મદાલસા શર્માએ પણ છોડી દીધી સીરિયલ, જાણો શું છે કારણ

Anupama: એક સમયે ટીઆરપીના ચાર્ટ પર ટોપ પર રહેતી અનુપમા સીરીયલના સેટ પર હવે ગડબડ શરૂ થઈ ગઈ છે. અનુપમા સીરીયલ સાથે શરૂઆતથી જોડાયેલા કલાકારો હવે સીરીયલ છોડવા લાગ્યા છે. સિરિયલમાં મહત્વના પાત્રમાં જોવા મળતા કલાકારો પણ અનુપમાને અલવિદા કહી ચૂક્યા છે. તેમની જગ્યાએ હવે નવા કલાકારોની એન્ટ્રી થવા લાગી છે. તેવામાં વધુ એક કલાકારે આ સીરીયલ ને છોડી દીધી છે. 

થોડા દિવસો પહેલા જ અનુપમા સિરિયલમાં વનરાજનું પાત્ર ભજવતા સુધાંશુ પાંડેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જાહેર કર્યું હતું કે તે રક્ષાબંધનથી જ આ શોનો ભાગ નથી એટલે કે હવે તે સીરીયલ છોડી ચૂક્યો છે. હવે અનુપમા સિરિયલમાં નવા વનરાજની એન્ટ્રી થશે. તેની સાથે જ કાવ્યા પણ બદલી જશે. વનરાજ બાદ કાવ્યાનું પાત્ર ભજવતી મદાલસા શર્મા પણ સીરીયલ છોડી ચૂકી છે. મદાલસા પણ હવે અનુપમા શોમાં જોવા નહીં મળે. મદાલસા શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ અંગે જાણકારી શેર કરી છે અને સાથે જ જણાવી દીધું છે કે તે અનુપમા સિરિયલનો ભાગ નથી. 

મદાલસા શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં કાવ્યા તરીકેની તેની જર્ની દેખાડવામાં આવી છે. આ વિડીયોના કેપ્શનમાં તેણે ઈમોશનલ નોટ લખી છે. જેમાં તેણે કાવ્ય તરીકે તેને પ્રેમ આપવા બદલ દર્શકોનો આભાર માન્યો છે સાથે જ મેકર્સનો અને લેખકનો પણ આભાર માન્યો છે જેમણે કાવ્યાનું કેરેક્ટર ક્રિએટ કર્યું. 

સાથે તેણે એવું પણ લખ્યું છે કે કાવ્યા તેના દિલની હંમેશા નજીક રહેશે.. આ સાથે જ તેણે એવું લખ્યું છે કે જે પાત્ર શરૂ થાય છે તે એક દિવસ પૂરું પણ થાય છે. અને હવે સમય આવી ગયો છે કે તે કાવ્યા તરીકે લોકોને અલવિદા કહી દે. તે ટૂંક સમયમાં જ એક નવા પાત્ર સાથે લોકોની સામે આવશે. ટૂંકમાં તે અનુપમા શોને છોડી ચૂકી છે અને એક નવા પ્રોજેક્ટ સાથે આગળ વધી રહી છે. 

ઉલ્લેખનીય છે કે મદાલસા શર્માનું નામ bigg boss 18 માં સ્પર્ધક તરીકે ચર્ચાઈ રહ્યું છે. ચર્ચા એવી પણ થઈ રહી છે કે બીગ બોસ 18 માટે મદાલસાએ અનુપમા શો છોડ્યો છે. પરંતુ આ અંગે મદાલસા શર્મા તરફથી કોઈ જ પૃષ્ટિ કરવામાં આવી નથી. પુષ્ટિએ વાતની થઈ છે કે તેણે અનુપમા શો છોડી દીધો છે. હવે તે bigg boss 18 માં જોવા મળશે કે નહીં તે આવનાર સમયે જ જણાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news