હવે દિકરીઓનું ટેન્શન છોડો! PM મોદીએ શરૂ કરી છે આ યોજના, ખાતામાં આવશે 70 લાખ

Sukanya Samriddhi Yojana: મોદી સરકારની દીકરીઓ માટે આ સૌથી બેસ્ટ યોજના છે. ઘરે દીકરી હોય અને એના ભવિષ્યની ચિંતા હોય તો આ યોજનામાં રોકાણ કરો તમારું ટેન્શન દૂર થઈ જશે.  પીએમ નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં દીકરીઓ માટે SSY યોજના શરૂ કરી હતી. આમાં 10 વર્ષ સુધીની પુત્રી માટે ખાતું ખોલાવી શકાય છે અને સરકાર દ્વારા રોકાણ પર 8.2 ટકા ઉત્તમ વ્યાજ આપવામાં આવે છે. જાણી લો શું છે નિયમો અને કઈ રીતે મળશે ફાયદો...

હવે દિકરીઓનું ટેન્શન છોડો! PM મોદીએ શરૂ કરી છે આ યોજના, ખાતામાં આવશે 70 લાખ

Sukanya Samriddhi Yojana: દરેક વ્યક્તિ પોતાની કમાણીમાંથી અમુક રકમ બચાવે છે, અમુક નિવૃત્તિ માટે, તો અમુક પોતાના બાળકોના શિક્ષણ અથવા પુત્રીના લગ્ન માટે એવી જગ્યાએ પૈસા રોકાણ કરવા માંગે છે, જ્યાં તેના પૈસા સુરક્ષિત રહે છે અને સાથે જ તેના પર ઉત્તમ વળતર મળે. કેન્દ્ર સરકાર દ્વારા દરેક વય અને વર્ગ માટે ઘણી અદ્ભુત યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આમાંની એક ખાસ યોજના ખાસ કરીને દીકરીઓ માટે છે. હા, અમે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે વાત કરી રહ્યા છીએ, જે દીકરીના ભણતરથી લઈને લગ્ન સુધીની દરેક બાબતો માટે આર્થિક તણાવ દૂર કરી શકે છે. તે 8 ટકાથી વધુ વ્યાજ આપે છે. જેનાથી તમને મોટો ફાયદો થઈ શકો છો. ઘરે દીકરી હોય તો ભૂલથી પણ ના ભૂલો...સરકારની યોજના દીકરીઓના બાપને ભારે ફાયદો કરાવે છે. 

SSY સ્કીમ પર મળી રહ્યું છે 8.2 ટકા વ્યાજ
દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાના સંદર્ભમાં સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY યોજના) ખૂબ જ લોકપ્રિય છે અને તેનું કારણ આ યોજનામાં મળતું વ્યાજ છે. જાન્યુઆરી-માર્ચ 2024ના ત્રિમાસિક ગાળા માટે આ સ્કીમ પર 8.2 ટકાનું સુંદર વ્યાજ આપવામાં આવી રહ્યું છે. સરકારી યોજનાઓના વ્યાજ દરો દર ત્રણ મહિને સુધારવામાં આવે છે. જો કે શુક્રવારે સરકારે તેમના દરો સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. એટલે કે હાલમાં સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દર પણ 8.2 ટકા પર સ્થિર છે. સુકન્યા સમૃદ્ધિ યોજના લાંબા ગાળાની રોકાણ યોજના છે, જે તમારી પુત્રીને કરોડપતિ બનાવી શકે છે. જેથી કરીને ઘરે દીકરી હોય તો આ યોજનાનો લાભ લેવાનું ક્યારેય ચૂકતા નહીં.

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 માટે આ જરૂરી

  1. દીકરીની ઉંમર: દીકરીની ઉંમર 10 વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ.
  2. પરિવારમાં દીકરીઓની સંખ્યા: પરિવારમાં બે દીકરીઓથી વધુ ન હોવી જોઈએ.
  3. માતાપિતાનું નાગરિકત્વ: માતાપિતા ભારતના નાગરિક હોવા જોઈએ.

એલ્વિશ યાદવને મોટો ઝટકો, કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો

કોણ કરી શકે  અરજી 
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ માતાપિતા શૂન્યથી 10 વર્ષની વયની છોકરીઓનું ખાતું ખોલાવી શકે છે. આમાં તમે 250 રૂપિયાના રોકાણ સાથે ખાતું ખોલાવી શકો છો. અગાઉ તેના પર વાર્ષિક 8 ટકા વ્યાજ મળતું હતું. પરંતુ હવે જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર માટે તેને વધારીને 8.2 ટકા કરવામાં આવ્યો છે. આમાં તમને કમ્પાઉન્ડિંગનો ફાયદો પણ મળે છે. છોકરીના નામે માત્ર એક જ ખાતું ખોલાવી શકાય છે. આ અંતર્ગત તમે માત્ર બે છોકરીઓનું ખાતું ખોલાવી શકો છો. પરંતુ જો તમારી પાસે એક સાથે બે છોકરીઓ (જોડિયા) છે, તો તમે ત્રણ છોકરીઓ માટે એકાઉન્ટ ખોલી શકો છો.કેન્દ્ર સરકારે જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટર માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર 8.2 ટકા નક્કી કર્યો છે. સરકાર દર ક્વાર્ટરમાં આ યોજના હેઠળ વ્યાજ દર અપડેટ કરે છે. મેચ્યોરિટીની વાત કરીએ તો 15 વર્ષ સુધી પૈસા જમા કરાવવાના હોય છે. આ એકાઉન્ટ 21 વર્ષમાં પરિપક્વ થાય છે. જો કે દીકરી 18 વર્ષની થઈ જાય પછી આ ખાતામાંથી અડધી રકમ ઉપાડી શકાય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે જરૂરી દસ્તાવેજ
1. માતા-પિતાનું ઓળખપત્ર
2. પુત્રીનું આધાર કાર્ડ
3. પુત્રીના નામથી ખોલાવેલ બેંક એકાઉન્ટની પાસબુક
5. પુત્રીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
6. મોબાઇલ નંબર

આ રીતે દીકરીને મળશે 6900000 રૂપિયા 
જો આપણે સુકન્યા સમૃદ્ધિ યોજનાની ગણતરી જોઈએ તો એક ગણતરી મુજબ જો તમે 5 વર્ષની ઉંમરે તમારી પુત્રીના નામે SSY ખાતું ખોલાવશો અને તેમાં દર વર્ષે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો પુત્રી 21 વર્ષની થાય પછી, તેના હાથમાં રૂપિયા 69 લાખથી વધુ હશે. તે પણ સમજી શકાય છે કે તમારે સ્કીમ હેઠળ નક્કી કરેલી મહત્તમ રોકાણ રકમ અથવા 15 વર્ષ માટે 1.5 લાખ રૂપિયા જમા કરાવવા પડશે. આ હિસાબે તમારા દ્વારા રોકાણ કરાયેલી રકમ 22,50,000 રૂપિયા હશે. હવે જો આપણે તેના પર 8.2 ટકાના દરે વ્યાજ દર જોઈએ તો આ સમયગાળામાં તે 46,77,578 રૂપિયા થશે. આ હિસાબે દીકરી 21 વર્ષની થશે ત્યારે તેને કુલ 69,27,578 રૂપિયા મળશે.

2015 થી શરૂઆત, કર મુક્તિનો લાભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 2015માં આ યોજના શરૂ કરી હતી. આ યોજનામાં રોકાણ માત્ર 250 રૂપિયાથી શરૂ કરી શકાય છે અને મહત્તમ રોકાણ 1.5 લાખ રૂપિયા સુધીનું હોઈ શકે છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે તમારે આખા 21 વર્ષ સુધી પૈસા જમા કરાવવાની જરૂર નથી, તમારે ખાતું ખોલ્યાના 15 વર્ષ સુધી જ પૈસા જમા કરવાના રહેશે. આ સરકારી યોજનામાં માત્ર વ્યાજ દર જ શ્રેષ્ઠ નથી, પરંતુ આવકવેરાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની કર મુક્તિનો લાભ પણ ઉપલબ્ધ છે.

તમે પાકતી મુદત પહેલા ઉપાડી શકો છો પૈસા 
SSY યોજનાની પાકતી મુદત 21 વર્ષ છે. એટલે કે આ સમયગાળા પછી જ આખી રકમ ઉપાડી શકાય છે, પરંતુ છોકરી 18 વર્ષની થઈ જાય પછી અભ્યાસ માટે આ ખાતામાંથી રકમ અગાઉથી ઉપાડી શકાય છે. શિક્ષણ માટે પણ ખાતામાં જમા બેલેન્સમાંથી માત્ર 50 ટકા જ ઉપાડી શકાશે. આ માટે તમારે તમારી પુત્રીના શિક્ષણ સાથે સંબંધિત દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડશે. તમે હપ્તા અથવા એકસાથે પૈસા લઈ શકો છો, પરંતુ તમને તે વર્ષમાં માત્ર એક જ વાર મળશે અને તમે પાંચ વર્ષ સુધી હપ્તામાં પૈસા ઉપાડી શકો છો.

જો દીકરીના લગ્ન માટે પૈસા ઉપાડવાના હોય તો ખાતામાં જમા થયેલી કુલ રકમમાંથી માત્ર 50 ટકા જ ઉપાડી શકાશે. લગ્નના એક મહિના પહેલાથી લઈને ત્રણ મહિના પછી પૈસા ઉપાડી શકાય છે. પરંતુ સંપૂર્ણ રકમ પુત્રીની ઉંમર 21 વર્ષ પૂર્ણ થયા બાદ જ મળશે.

કોણ ખોલાવી શકે આ ખાતું?
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા માટે તે ભારતીય નિવાસી અને બાળકીના માતાપિતા અથવા કાનૂની વાલી હોવું જરૂરી છે. તમે 10 વર્ષ સુધીની દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છો. તમે તમારી દીકરીના જન્મથી લઈને 10 વર્ષની ઉંમર સુધી SSY ખાતું ખોલાવી શકો છો. આ યોજના હેઠળ મહત્તમ 2 છોકરીઓ માટે એકાઉન્ટ ખોલી શકાય છે. જો જોડિયા દીકરીઓ હોય તો ત્રણેય માટે SSY ખાતું ખોલાવી શકાય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news