SBIએ આપી ગ્રાહકોને ભેટ, આ વર્ષે 5મી વખત વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત

સાર્વજનિક ક્ષેત્રની દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (State Bank of India)એ MCLRમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સ્ટેટ બેન્કે MCLR રેટમાં 10 બેઝ પોઇન્ટમાં ઘટાડો કર્યો છે. આ નિયમ 10 સપ્ટેમ્બરથી લાગુ થઇ રહ્યો છે

SBIએ આપી ગ્રાહકોને ભેટ, આ વર્ષે 5મી વખત વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત

નવી દિલ્હી: સાર્વજનિક ક્ષેત્રની દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (State Bank of India)એ MCLRમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સ્ટેટ બેન્કે MCLR રેટમાં 10 બેઝ પોઇન્ટમાં ઘટાડો કર્યો છે. આ નિયમ 10 સપ્ટેમ્બરથી લાગુ થઇ રહ્યો છે. નાણાકીય વર્ષ 2019-20માં અત્યાર સુધી MCLRના દરોમાં પાંચ વખત ઘટાડો આવી ચુક્યો છે.

આ ઉપરાંત બેન્કે ડિપોઝિટ રેટમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. SBIએ રિટેલ ટાઇમ ડિપોઝિટ (TD)માં 20-25 બેઝ પાઇન્ટ અને બલ્ક TD (ટાઇમ ડિપોઝિટ) csx 10-20 બેઝ પોઇન્ટ્સનો ઘટાડો કર્યો છે. ઘટાડાની જાહેરાત બાદ 10 સપ્ટેમ્બરથી એક વર્ષ માટે MCLR 8.25 ટાકથી ઘટની 8.15 ટકા સુધી પહોંચી ગયો છે.

1 મેથી અત્યાર સુધી એસબીઆઇએ વ્યાજના દરમાં 40 બેઝ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. 1 મેથી પહેલા એસબીઆઇના દર 8.55 ટાક હતા, જે હવે ઘટીને 8.15 ટકા થઇ ગયા છે. આ પહેલા એસબીઆઇએ 10 જૂનના પણ એમસીએલઆરના દરમાં ઘટાડો કર્યો હતો.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news