Railwayની નવી પહેલ : પાણીની ખોલી બોટલ આપશો તો મળશે 5 રૂ. રોકડા!

ઇન્ડિયન રેલવે પ્લાસ્ટિકથી વધી રહેલા પ્રદૂષણને રોકવા માટે નવીનવી યોજના લાવી રહ્યું છે

Railwayની નવી પહેલ : પાણીની ખોલી બોટલ આપશો તો મળશે 5 રૂ. રોકડા!

નવી દિલ્હી : ઇન્ડિયન રેલવે પ્લાસ્ટિકથી વધી રહેલા પ્રદૂષણને રોકવા માટે નવી-નવી યોજના લાવી રહ્યું છે. હાલમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેલવેએ કેટલીક શતાબ્દી અને રાજધાની ટ્રેનોમાં પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવી પ્લેટોમાં ભોજન આપવાનું શરૂ કરી દીધું છે. હવે એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત પાણીની ખાલી બોટલને ક્રશ કરવાથી તેમને 5 રૂ. પરત મળશે. આની સાથે પ્રવાસીઓને આર્થિક ફાયદો તો થશે જ પણ પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકાશે. 

નવા પ્રયાસના ભાગરૂપે ભારતીય રેલવેએ વડોદરા રેલવે સ્ટેશન પર બોટલ ક્રશર મશીન (bottle crusher) લગાવ્યા છે જેનો હેતુ પરિસરને પ્લાસ્ટિક મુક્ત કરવાનો છે. આ માટે પ્રવાસીઓને પ્રોત્સાહન આપવા માટે રેલવેએ બોટલ ક્રશ કરવા માટે 5 રૂ. કેશબેક આપવાની ઓફર પણ કરી છે. વડોદરા રેલવે સ્ટેશન પર આ પ્રયાસને સફળતા મળશે તો ભવિષ્યમાં બીજા સ્ટેશનો પર પણ આવા જ મશીન લગાવવામાં આવશે. 

— ANI (@ANI) June 6, 2018

જો તમે વડોદરાના સ્ટેશન પર લાગેલા બોટલ ક્રશર મશીનમાં પાણીની ખાલી બોટલ નાખશો તો મશીનમાં મોબાઈલ નંબર નોંધાઈ જશે. આ પછી ખાલી બોટલ ક્રશ થઈ જશે અને તમને 5 રૂ. કેશબેક મળશે. આ કેશબેક તમારા પેટીએમ વોલેટમાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news