Loan moratorium અવધિમાં વ્યાજમાં છૂટ પર જલદી લેવાશે નિર્ણય, કેન્દ્રએ આપ્યું આશ્વાસન

કેન્દ્ર સરકારે કહ્યું કે તે કેસમાં આરબીઆઇ સાથે વાતચીત કરી રહી છે અને જલદી જ કોઇ સમાધાન નિકાળશે. એટલા માટે કોઇ નિષ્કર્ષ પર પહોંચવા માટે થોડો સમય આપવામાં આવશે.

Loan moratorium અવધિમાં વ્યાજમાં છૂટ પર જલદી લેવાશે નિર્ણય, કેન્દ્રએ આપ્યું આશ્વાસન

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સોમવારને સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે કોવિડ-19 મહામારીના લીધે ગ્રાહકોને લોન મોરાટોરિયમ દરમિયાન સ્થગિત ઇએમઆઇ પર વ્યાજ પર વ્યાજમાં છૂટને લઇને નિર્ણય લેવાની પ્રક્રિયા એડવાન્સ સ્ટેજમાં છે અને બે અથવા ત્રન દિવસોમાં નિર્ણય લેવામાં આવી શકે છે. ન્યાયમૂર્તિ અશોક ભૂષણના નેતૃત્વવાળી પીઠે કહ્યું કે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને સૂચિત કર્યું છે કે મુદ્દે સરકાર દ્વારા સક્રિય રૂપથી વિચારધીન છે અને બે ત્રણ દિવસમાં નિર્ણય લેવાની સંભાવના છે. એવામાં સુપ્રીમ કોર્ટએ લોન મોરાટોરિયમની અવધિને 5 ઓક્ટોબર સુધી વધારી દીધી છે. સુપ્રીમ કોર્ટ આ મામલે હવે આગામી સુનાવણી પણ 5 ઓક્ટોબરે કરશે. 

સરકાર તરફથી તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટની સમક્ષ તે ગુરૂવાર સુધી સોગંધનામું સર્કુલેટ કરવાનો પ્રયત્ન કરશે અને કેસની સુનાવણી સોમવારે થઇ શકે છે. પીઠે કહ્યું કે આગામી સુનાવણી સુધી વચગાળાનો આદેશ જાહેર કર્યો. અરજીકર્તાનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ રાજીવ દત્તાએ પીઠ સમક્ષ દલીલ કરી આ મામલે જલદી જ સુનાવણી થશે અને કેસમાં સોગંધનામું દાખલ કરવા માટે કેન્દ્ર તરફથી સમય માંગવા પર આપત્તિ વ્યક્ત કરી નથી. 

કેન્દ્ર સરકારે કહ્યું કે તે કેસમાં આરબીઆઇ સાથે વાતચીત કરી રહી છે અને જલદી જ કોઇ સમાધાન નિકાળશે. એટલા માટે કોઇ નિષ્કર્ષ પર પહોંચવા માટે થોડો સમય આપવામાં આવશે. લોન મોરાટોરિયમ પીરિયડ પહેલાં 31 ઓગસ્ટના રોજ ખતમ થઇ રહ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે ગત સુનાવણી દરમિયાન તેને 28 સપ્ટેમ્બર સુધી વધારી દીધો હતો, કારણ કે આગામી સુનાવણી આજે હતી. આ મામલે સુપ્રીમ કોર્ટ આગામી સુનાવણી પાંચ ઓક્ટોબરના રોજ કરનાર છે તો ત્યાં સુધી લોન મોરાટોરિયમ સુધી ચાલુ રહેશે. આરબીઆઇએ માર્ચમાં લોન મોરાટોરિયમ 3 મહિના માટે શરૂ કર્યું હતું, ત્યારબાદ વધુ ત્રણ મહિના માટે વધારીને 31 ઓગસ્ટ સુધી કરી દેવામાં આવ્યું હતું. 

જોકે આ લોન મોરાટોરિયમમાં વ્યવસ્થા છે કે જો વ્યવસ્થા છે જે લોકો કોરોના મહામારીમાં પોતાની ઇએમઆઇ ન આપી શકે. તેમની પાસે આગળ માટે પોતાની ઇએમઆઇ સ્થગિત કરવાનો વિકલ્પ રહેશે. જોકે અરજીકર્તાનું કહેવું છે કે તેનો કોઇ ફાયદો સામાન્ય લોકોને મળતો નથી. કારણ કે જે પોતાના ઇએમઆઇ સ્થગિત કરી રહ્યા છે તો તેમને આ સ્થગિતની અવધિનો પુરું વ્યાજ આપવું પડી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news