RBI Rule: જાણો તમારા ખિસ્સામાં પડેલી કઈ નોટ છે ફિટ કઇ અનફિટ, જાણો RBI ના 11 ધારાધોરણો

Unfit Notes: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અનફિટ નોટને લઇને ગત વર્ષે સૂચનાઓ જાહેર કરતા તમામ બેંકોને અનફિટ નોટોની મશીનની મદદથી છટણી કરવાનો આદેશ આપ્યા હતા. જાણો તમારા ખિસ્સામાં પડેલી કઈ નોટ છે અનફિટ...

RBI Rule: જાણો તમારા ખિસ્સામાં પડેલી કઈ નોટ છે ફિટ કઇ અનફિટ, જાણો RBI ના 11 ધારાધોરણો

Reserve Bank Of India: RBIએ ચલણમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2,000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. જો કે, હાલમાં બજારમાં ઉપલબ્ધ રૂ. 2000ની નોટ 30 સપ્ટેમ્બર, 2023 સુધી બદલી શકાશે. 30મી સપ્ટેમ્બર બાદ નોટ નહીં ચાલે એ બાબતે સરકારે મોટો ખુલાસો કર્યો છે. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ લીગલ ટેન્ડરમાં રહેશે.

સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સી ANI એ જણાવ્યું કે, 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ માન્ય રહેશે. આરબીઆઈને આશા છે કે લોકોને બેંકોમાંથી નોટો એક્સચેન્જ કરવા માટે 4 મહિના પૂરતો સમય છે. હાલમાં જે 2000ની નોટો બજારમાં છે તે 30 સપ્ટેમ્બરની નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં બેંકોને પરત કરવામાં આવશે. આ આરબીઆઈની નિયમિત કવાયત છે અને લોકોએ ગભરાવાની જરૂર નથી.

— ANI (@ANI) May 19, 2023

ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે નોટોને લઇને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગત વર્ષે મોટો નિર્ણય લીધો હતો. ઘણી વખત લોકો જૂની અને ફાટેલી નોટોનો ચલાવવાનો માર્ગ શોધી લેતા હોય છે. જોકે, હવે આરબીઆઇના આ નિર્ણય બાદ નોટની ફિટનેસ ચેક કરવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આખા દેશની બેંકોને સૂચના આપી છે કે નોટ ગણતરીની મશીનોની જગ્યાએ નોટની ફિટનેસ ચેક કરતા મશીનો ઉપયોગ કરવામાં આવે. આરબીઆઇની આ સૂચના અનુસાર હવે દર ત્રણ મહિને નોટોની ફિટનેસ ચેક કરવામાં આવશે. એવામાં તમારા ખિસ્સામાં રહેલી નોટ ફિટ છે કે અનફિટ, તેને ચેક કરવા માટે આરબીઆઇએ 11 ધોરણો નક્કી કર્યા છે.

શું હોય છે અનફિટ નોટ?
આરબીઆઇની સૂચના બાદ સ્વચ્છ નોટોને સરળતાથી ઓળખી શકાય છે. જેથી કરીને તેને રિસાયક્લિંગમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે. અનફિટ નોટ્સ એવી છે જે રિસાયક્લિંગ માટે યોગ્ય નથી. આવો જાણીએ તે તે 11 પ્રતીકો વિશે જે કોઈફણ નોટને ફિટ કે અનફિટ જાહેર કરાશે.

કેવી રીતે થશે અનફિટ નોટની ઓળખ?
- જે નોટ ખુબ જ ગંદી અને જેમાં વધારે પડતી ધૂળ લાગેલી હશે તો આ સ્થિતિમાં તે નોટને અનફિટ માનવામાં આવશે.
- નોટ જ્યારે ઘણા લાંબા સમય સુધી માર્કેટમાં રહે છે અને એક ખિસ્સામાંથી બીજા ખિસ્સામાં ટ્રાન્સખર થતી રહે છે તો તે ઘણી ઢીલી પડી જાય છે. ઢીલી નોટ અનફિટ માનવામાં આવશે. જ્યારે નવી નોટ ફિટની કેટેગરીમાં સામેલ રહશે.
- કોર્નરથી કે પછી વચ્ચેના ભાગથી ફાટેલી નોટ અનફિટ માનવામાં આવશે.
- જો નોટમાં બનાવેલા ડોગ ઈયર્સનો એરિયા 100 વર્ગ મિલીમિટરથી વધારે છે તો તેને અનફિટ માનવામાં આવશે.
- જે નોટોમાં 8 વર્ગ મિલીમીટરથી વધારે મોટા છિદ્રો છે તો તેને અનફિટ નોટ માનવામાં આવશે.
- નોટમાં કોઈપણ પ્રકારના ગ્રાફિક ફેરફારને અનફિટ નોટ માનવામાં આવશે.
- નોટ પર વધારે પડતા ડાઘા, પેનની શાહી વગેરે લાગેલી હશે તો તે અનફિટ નોટ છે.
- નોટ પર કઈપણ લખેલું હોય અથવા કોઈપણ પ્રકારનું ચિત્ર દોરેલું હોય તો તે અનફિટ ગણાશે.
- નોટનો જો રંગ ઉડી ગયો છે તો તે અનફિટ નોટ છે.
- ફાટેલી નોટ પર કોઈપણ પ્રકારની ટેપ અથવા ગમ લગાવેલી હશે તો તે નોટ અનફિટ માનવામાં આવશે.
- નોટનો રંગ જો જતો રહ્યો છે અથવા હળવો થઈ ગયો છે તો તે પણ અનફિટની કેટેગરીમાં સામેલ થશે.

અનફિટ નોટની મશીનનો ઉપયોગ
તમને જણાવી દઈએ કે આરબીઆઇ અનફીટ નોટોને ઓળખવા માટે મશીનને અપડેટ રીતે બનાવી રહી છે. મશીન આ નોટોને ઓળકી તેને માર્કેટમાંથી બહાર કરી દેશે. આ મશીન અનફિટ નોટોની ઓળખ કરશે. આરબીઆઇએ તમામ બેંકોને સૂચના આપી છે કે, આ મશીનનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે. સાથે જ તેની કાળજી પણ ગંભીરતાથી લેવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news