ભાડુઆતો પર હવે રૌફ જમાવી શકશે નહી મકાન માલિક, સરકાર લાવી રહી છે નવો કાયદો

દેશમાં એક મોટો ફેરફાર જોવા મળશે. જે લોકો મકાન ભાડે આપે છે અને જે લોકો ભાડે મકાન લે છે, એટલા માટે નવો કાયદો આવી રહ્યો છે. સરકાર નવો ટેનેન્સી કાયદો લાવી રહી છે. આ કાયદો અમલમાં આવ્યા બાદ મકાન માલિક હવે કારણ વિના રૌફ બતાવી શકશે નહી. આ કાયદામાં હાલમાં ઉપલબ્ધ જોગવાઇ ચૂકવનારાઓને ખૂબ રાહત મળશે. આ કાયદો બનતાં ભાડુઆતો અને મકાન માલિકો બંનેના હિતોની રક્ષા થઇ શકશે. 
ભાડુઆતો પર હવે રૌફ જમાવી શકશે નહી મકાન માલિક, સરકાર લાવી રહી છે નવો કાયદો

નવી દિલ્હી: દેશમાં એક મોટો ફેરફાર જોવા મળશે. જે લોકો મકાન ભાડે આપે છે અને જે લોકો ભાડે મકાન લે છે, એટલા માટે નવો કાયદો આવી રહ્યો છે. સરકાર નવો ટેનેન્સી કાયદો લાવી રહી છે. આ કાયદો અમલમાં આવ્યા બાદ મકાન માલિક હવે કારણ વિના રૌફ બતાવી શકશે નહી. આ કાયદામાં હાલમાં ઉપલબ્ધ જોગવાઇ ચૂકવનારાઓને ખૂબ રાહત મળશે. આ કાયદો બનતાં ભાડુઆતો અને મકાન માલિકો બંનેના હિતોની રક્ષા થઇ શકશે. 

કાયદામાં છે આ ખાસ વાત
આ કાયદો અત્યારે કેંદ્વ સરકાર દ્વારા લાવવામાં આવેલો એક ડ્રાફ્ટ છે જેને સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે આ પાસ થઇ જશે તો પછી આ રાજ્યોમાં આવશે. કેંદ્વ સરકાર એક મોડલ ટેનેન્સી કાયદો બનવાની રાહ જોઇ રહી છે. અત્યારે તેની તૈયારીઓ ચાલી રહી છે. કાયદો પાસ થયા બાદ તેને બધા રાજ્યોને મોકલી દેવામાં આવશે. તેના હેઠળ સરકાર નવા રેન્ટ ઓથોરિટી બનાવવાની વાત કરી રહી છે. 

જિલ્લાધિકારી અથવા ડિસ્ટ્રિક્ટ કલેક્ટર તેના મુખિયા હશે અને આ ઓથોનિટી નક્કી કરશે કે કેટલું ભાડું હોવું જોઇએ. કેટલું ભાડુ વધવું જોઇએ, કેટલું ઘટાડવું જોઇએ આ બધું ઓથોરિટી નક્કી કરશે. બંને પક્ષોને આ ઓથોરિટીની પાસે જવું પડશે ત્યાંથી નક્કી થઇ જશે કે કેટલું ભાડું આપણે ફાઇનલ કરી રહ્યા છીએ. આ મુદ્દે અત્યાર સુધી કોઇ નોડલ એજન્સી નથી. સરકાર હવે તેનાપર પહેલ કરવામાં આવી રહી છે.

ભાડુઆતોના અધિકાર શું હશે
તેમાં ભાડુઆતોને સિક્યોરિટી ડિપોઝિટ બે મહિનાથી રાખવી પડે. ભાડું વધારવા માટે ઓછામાં ઓછા ત્રણ મહિના પહેલાં મકાન માલિકે નોટિસ આપવી પડશે. બંને પક્ષોમાં જો પરસ્પર સંબંધોના આધાર પર સહમતિ થઇ જાય છે તો થઇ શકે કે ભાડું પણ ન વધે. આ ઉપરાંત મકાન માલિકને મકાનના નિરીક્ષણ કરતાં પહેલાં 24 કલાકની લેખિત નોટીસ આપવી પડશે. 

આ ઉપરાંત ભાડુઆત દ્વારા મકાન છોડવાના એક મહિનાની અંદર મકાન માલિકે સિક્યોરિટી ડિપોઝિટ અથવા પૈસા આપવા પડશે. તેમાં મકાન માલિકની આનાકાની નહી ચાલે. ભાડુઆતો માટે એક મોટી રાહતની જોગવાઇ એ હશે કે જો કોઇ વિવાદ થાય છે તો મકાન માલિક ભાડુઆતની વિજળી, પાણી જેવી જરૂરી સુવિધાઓ કાપી શકશે નહી.

મકાન માલિક માટે શું છે જોગવાઇ
આ ડ્રાફ્ટમાં પ્રસ્તાવ કરવામાં આવ્યો છે કે જો સમયસર ભાડુઆતે મકાન ખાલી ન કર્યું તો ભાડું પહેલાં બમણું અને પછી ચાર ગણું થઇ જશે. ભાડાના મકાનની જાળવણી ભાડુઆતે જ કરાવવી પડશે. જાળવણી ન કરતા મકાન માલિક જાળવણીનું કામ કરશે અને ભાડુઆતના જે પૈસા સિક્યોરિટી ડિપોઝિટમાં જમા છે, તેમાંથી કાપી શકે છે.

આ પ્રકારે જે ભાડુઆત જો પ્રોપર્ટીમાં જાળવણી ખર્ચ લાગે છે તો જે પૈસા તે ભાડા પેઠે આપી રહ્યો છે, તો તેમાંથી કાપી લે. કુલ મળીને મકાન ખરાબ નહી થાય. આ વાત મકાન માલિકને પણ ધ્યાનમાં રાખવું પડશે અને ભાડુઆતને પણ ધ્યાનમાં રાખવું પડશે. સાથે જ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડે છે તો મકાન માલિકને જણાવવું પડશે. એવું ન કરતાં ભાડુઆત કહ્યા વગર જતો રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news